યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થાયા એસઆઈએફ ઓફરિંગ્સને ટેકો આપવા માટે CAMS સાથે આરટીએ કરાર કર્યો

Rudra
By Rudra 2 Min Read

મુંબઈ : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે આજે અર્થાયા એસઆઈએફ માટે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ અને ઇન્વેસ્ટર સર્વિસીંગને ટેકો આપવા માટે CAMS સાથે રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય અર્થાયા એસઆઈએફ હેઠળ રોકાણ વ્યૂહરચનાઓ શરૂ કરવામાં આવે ત્યારે રોકાણકારો અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ માટે કામગીરીને લગતી તૈયારી અને સરળ સર્વિસિંગ અનુભવ સુનિશ્ચિત કરવાનો છે.

સંસ્કૃત શબ્દ “અર્થ” (સંપત્તિ) પરથી લેવામાં આવેલા શબ્દ “અર્થાયા” નો અર્થ થાય છે “હેતુ સંચાલિત સંપત્તિ”. આ નામ યુનિયન મ્યુચ્યુઅલ ફંડના હેતુપૂર્ણ સંપત્તિ સર્જનની ફિલોસોફીને દર્શાવે છે, જે ભારતીય મૂળનું આધુનિક દ્રષ્ટિકોણ સાથે મિશ્રણ કરે છે અને લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યો સાથે નાણાંકીય યાત્રાઓને જોડે છે.

યુનિયન એએમસીના સીઈઓ મધુ નાયરે જણાવ્યું હતું કે, “જેમ જેમ અમે અમારી સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઓફરિંગને બારીકાઈપૂર્વક અને વિચારશીલ રીતે વિકસાવીએ છીએ, તેમ તેમ કામગીરીને લગતી એક મજબૂત વ્યવસ્થા સ્થાપવી જરૂરી છે. CAMS સાથે થયેલો આરટીએ કરાર એ સુનિશ્ચિત કરવા તરફનું એક પગલું છે કે જ્યારે અર્થાયા એસઆઈએફ હેઠળ રોકાણ વ્યૂહરચના રજૂ કરવામાં આવે ત્યારે રોકાણકારો અને ભાગીદારોને સરળ તથા સારી રીતે સમર્થન સાથેનો વ્યવહાર અને સર્વિસિંગ અનુભવનો લાભ મળશે.”

CAMS ના મેનેજિંગ ડિરેક્ટર અનુજ કુમારે ઉમેર્યું હતું કે, “યુનિયન મ્યુચ્યુઅલ ફંડ સાથે તેમની એસઆઈએફ ઓફરિંગને ટેકો આપતા અમે આનંદ અનુભવીએ છીએ. અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વસનીય ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ અને ઇન્વેસ્ટર સર્વિસિંગ સપોર્ટ પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે નવી રોકાણ ઓફરિંગના કાર્યક્ષમ સંચાલનને સક્ષમ બનાવે છે.”

યુનિયન મ્યુચ્યુઅલ ફંડનો ઉદ્દેશ્ય અર્થા એસઆઈએફ હેઠળ રોકાણ વ્યૂહરચનાઓ વિકસાવવાનો છે, જેમાં શિસ્તબદ્ધ રીતે સ્ટ્રેટેજી ડિઝાઇન, શાસન અને રોકાણકાર-કેન્દ્રિત અમલીકરણ પર ધ્યાન

કેન્દ્રિત કરવામાં આવશે. અર્થાયા એસઆઈએફ હેઠળની વ્યૂહરચનાઓ યોગ્ય સમયે રજૂ કરવામાં આવશે, જે લાગુ મંજૂરીઓને આધીન રહેશે.

Share This Article