ગાંધીનગરમાં શાસ્ત્રીય સંગીતનો મહિમા, ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું

Rudra
By Rudra 2 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી અરવિંદ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઉદગમ શાસ્ત્રીય સંગીત બેઠક અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીત વિષયક આ વર્કશોપનું માર્ગદર્શન ઉદયપુરથી પધારેલ, મેવાતી ઘરાનાના પંડિત જસરાજજીના શિષ્ય પ્રખર શાસ્ત્રીય સંગીત ગાયક સમર્થ જાનવે દ્વારા આપવામાં આવ્યું હતું.

વર્કશોપ દરમિયાન શાસ્ત્રીય સંગીતના સાધકોને શા. સંગીતની ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી. જેમાં રાગના નિયમો, થાટ, “સા” રુટ છે ઓમકાર નો તથા સ્વર અને સૂરનો તફાવત, રાગ તથા રાગાંગની સમજ, લોક સંગીત,ફિલ્મી ગીતો,ગઝલ,ધૂન અને ભજનની રચનામાં શાસ્ત્રીય સંગીત કેવી રીતે પ્રસ્તુત કરી શકાય , રિયાઝ કેવી રીતે કરવો, રાગ ની ઓળખ,સાધનાનું મહત્વ તેમજ શ્રુતિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે રાગનું બંધન એટલે કે બંદિશ, બંદિશમાં બઢત,ભાવ, શ્વસન ગતિ પર ધ્યાન રાખવું અને સૂર ની જગા ઓળખવાની સમજ પણ આપવામાં આવી.ત્યારબાદ ઘરાના ની રીતરસમ પ્રમાણે “ઓમ શ્રી અનંત હરિ નારાયણ”પ્રાર્થના ની પ્રસ્તુતિ સાથે વિધાર્થીઓને કલ્યાણ થાટના રાગ યમન પર બંદિશ “જા જા રે પાગલ મનવા, તેરી કોન સુને કિસકો પરવા”!સૂર સ્વર ની સમજ સાથે ગવડાવી અંતમાં બનારસ ઘરાનાની રાગ ભૈરવી પર આધારિત પંડિત રાજન સાજન મિશ્રા દ્વારા ગવાયેલી બંદિશ “નાદ કો ન ભેદ પાયો” દ્વારા કાર્યક્રમનું ભાવસભર સમાપન કરવામાં આવ્યું.

ઉદગમ ટ્રસ્ટના ચેરમેન ડો. મયુરભાઈ જોષીએ આગળ દર્શનમાં જણાવ્યું કે કે આપણે સૌ સાથે મળીને આવા કાર્યક્રમો કરીશું અને ગાંધીનગરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતને ધબકતું રાખવાણી સાથે શ્રી અરવિંદ કેન્દ્રના ચેરમેન ડોક્ટર તન્ના સાહેબ તેમજ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો. સુસરી પારુલબેન મહેતાના અભૂતપૂર્વ પ્રયાસોથી શ્રી અરવિંદ કેન્દ્રના વિદ્યાર્થીઓ અને શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા નગરના ગુણીજનો લગભગ 75 થી પણ વધુની સંખ્યામાં ઉપસ્થિત રહીને સંગીત વિશે જ્ઞાન મેળવ્યું તથા દીપાંશ છાબરાએ સહયોગ આપ્યો હતો.

Share This Article