ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉર્દુ સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે “ઉદગમ ગઝલોત્સવ”નું ભવ્ય આયોજન આંબેડકર હોલ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઉદગમ ગઝલોત્સવે સાહિત્ય અને સંગીતપ્રેમીઓ માટે એક અનોખી સાંજ સર્જી, જ્યાં શબ્દો અને સ્વરનું અદ્ભુત સંગમ જોવા મળ્યું અને સમગ્ર હોલ ગઝલની લય અને લાગણીઓથી ગુંજી ઉઠ્યો.
દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિષે માહિતી આપી હતી.મુખ્ય અતિથિ ગુજરાત બ્રહ્મ સમાજ(રાજ્યકક્ષા)ના પ્રમુખ અને નોટરી ane પી.પી. અશ્વિન ત્રિવેદીએ ઉદગમના સામાજિક અને સંગીતના સંવર્ધનના કાર્યોના વખાણ કરીને યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.ગુજરાત સાહિત્ય અકાદમીના સહાયક મહામાત્ર ડૉ. રિદ્ધિબા ભૂપતસિંહ ઝણકાટ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પ્રખ્યાત ગઝલ ગાયક શ્રી હિરેન બારોટે કાર્યક્રમની શરૂઆત માતાજીની ભક્તિમય સ્તુતિઓ “યા દેવી સર્વભૂતેષુ”, “જગદંબા મૈયા તું જોગણી” અને “માડી તારું કંકુ ખર્યું”થી કરવામાં આવી, ત્યારબાદ રાગ ખમાજ આધારિત મંગલ ગીત “સાજણ આયો રે હે સખી” દ્વારા સંગીતયાત્રાનો આરંભ થયો. આગળ વધતા ગઝલ અને સુફી સંગીતની સુમેળસભર રજૂઆતમાં “પ્યાર કા પહેલા ખત લખને મે વક્ત તો લગતા હૈ”, “ચુપકે ચુપકે રાત દિન”, “હમ તેરે શહેર મેં આયે હે”, “ચિઠ્ઠી ના કોઈ સંદેશ”, “હોશ વાલો કો ખબર શું”, “હંગામા હે ક્યું બરપા”, “મુઝે તુમ યાદ આતે હો”, “મહેફિલ મેં બાર બાર”, “આજ જાને કી જીદ ના કરો”, “તુમ ઇતના જો મુસ્કુરા રહી હો”, “કિસી નજર કો તેરા”, “ચમકતે ચાંદ કો”, “કલ ચૌદવી કી રાત થી”, “સાંસો કી માલા પે”, “દિવસો જુદાઈના જાય છે”, “એક રાજા હતો એક રાણી હતી” તેમજ સુફી રચના “તેરી નામ સે જીલું મેં” જેવી અનેક લોકપ્રિય અને હૃદયસ્પર્શી ગઝલોથી પોતાની મધુર અને ભાવસભર અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સાથે સંગતમાં તબલા પર રુચિત દવે અને કીબોર્ડ પર મિહિર પંડ્યાએ ઉત્તમ સંગીત સાથ આપ્યો હતો.
ઉદગમ ગઝલોત્સવનું મંચ સંચાલન પારૂલબેન મેહતાએ ખુબ સુરમયી શબ્દોથી કર્યું હતું સફળ બનાવવા દિપાંશ છાબરા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોષી, વાગ્મી જોષી અને કિરાત જોષી, મનોજ જોષી તાથા વીણાબેન વોરા તથા ઉદગમ પરિવારના સહુ સભ્યોએ ભારે જેહમત ઉઠાવી હતી.ગાંધીનગરના સંગીતરસિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને ગઝલોના મીઠા સ્વરોમાં તલ્લીન થઈ આ સાંસ્કૃતિક સાંજને યાદગાર બનાવી. આ રીતે “ઉદગમગઝલોત્સવ” ગઝલ અને સુફી સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંગીતમય અનુભવ હતો.
