મધ્યપ્રદેશમાં રોડ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારને સહાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગત બે દિવસ પહેલા મધ્યપ્રદેશમાં ગુના જીલ્લામાં એક દર્દનાક માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી. ગુનાથી આરોન જઈ રહેલી એક ખાનગી બસને અકસ્માત થયો હતો અને તેમાં આગ લાગી હતી. અન્ય વાહન સાથે ટક્કર થતાં આગ લાગી હતી અને તે દર્દનાક ઘટનામાં ૧૩ લોકોના મોત નિપજયા છે. અન્ય ૧૫ જેટલાં લોકોને ગંભીર ઈજા થઈ છે. 

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા એક લાખ પંચાણું હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. મઘ્યપ્રદેશના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. 

Share This Article