બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને આગામી ૧૮ જુલાઈથી ૨૩ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ મામલે અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રેસનોટ જાહેર કરીને જાણકારી આપી છે. બૂલેટ ટ્રેનની કામગીરીને લઈને ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો ર્નિણય કરાયો છે.

શાહીબાગ, અસારવા અને અમદાવાદના કોટ વિસ્તારને જાેડતા મહત્વના માર્ગ પર આવેલો ગિરધર નગર ઓવરબ્રિજ આગામી ૧૮ જૂલાઈથી ૧૦ ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. જ્યારે શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. આમ બંને વૈકલ્પિક માર્ગોનો વાહન વ્યવહાર બળિયા લીમડી ચારરસ્તા પર આવતા ત્યાં ટ્રાફિકનું ભારણ વધશે.

કાલુપુર રેલવે સ્ટેશન સામેનો રોડ વધુ એક મહિનો બંધ રહેશે

કાલુપુર રેલવેસ્ટેશનના નવનિર્માણના કામમાં સ્ટેશનની સામેના ભાગે એલિવેટેડ રોડના નિર્માણ માટે વિવિધ કામગીરી સબબ આગામી ૩૧ ઓગસ્ટ સુધી સ્ટેશન સામેના રોડ પર પીલ્લર ૨૪થી પીલ્લર ૨૭ વચ્ચેનો ૪૦ મીટરનો રોડ બંધ કરાયો છે. તાજેતરમાં રથયાત્રા દરમિયાન કામગીરી બંધ કરીને રસ્તો ખોલી આપવામાં આવ્યો હોવાથી હવે આ કામની મુદ્દત એક મહિનો વધારી દેવાઈ હોવાથી ૪૦ મીટરની લંબાઈનો રોડ આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

ગોમતીપુરમાં ત્રણ મહિના ડાઈવર્ઝન અપાયું

કાંકરિયા મેટ્રો અન્ડરગ્રાઉન્ડસ્ટેશન બનાવવાની કામગીરી અંતર્ગત ગોતીપુર-રાજપુર ટોલનાકા રોડ પરસેન્ટ જાેસેફ સ્કૂલની દીવાલથી રાજપુર ટોલનાકાચાર રસ્તા સુધી ૫૦૦ મીટર લંબાઈનું ડાઈવર્ઝને આપવામાં આવ્યું છે. જેની અમલવારી ૩ જૂલાઈથી ૩૦૦ સપ્ટેમ્બર એટલે કે ત્રણ મહિના સુધી કરાશે. ડાઈવર્ઝનવાળો આ સમગ્ર રૂટ પોલીસ તંત્ર દ્વારા નો-પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.

વૈકલ્પિક માર્ગ

– કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરીને ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. તેમજ અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો પર પણ જઈ શકાશે.
– શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. તેમજ કાલુપુર-પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકાશે.

Share This Article