રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ આ વખતે રોજગારી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. આને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. લોકસભાની ચૂટણી દરમિયાન બેરોજગારીનો મુદ્દો જોરદાર રીતે કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો હતો. જેથી આ વખતે કેટલાક પગલા લેવામાં આવી શકે છે.  નવી સરકાર  હવે સંપૂર્ણ બજેટ રજૂ કરે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.

જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.  તેમાં ખેડુતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે નોટબંધી અને જીએસટી  બાદ સામાન્ય લોકોની તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ  ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ  પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે.

અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. ટેક્સ ટાઇલ, એન્જિનિયરિગ, મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે.

યુવાનો રોજગારીને લઇને પરેશાન દેખાઇ રહ્યા હતા. .રોજગારીને લઇને નિરાશાજનક ચિત્ર રહ્યુ છે. રોજગારીના મોરેચે સરકારને અનેક પહેલ કરવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે.

Share This Article