જામનગરના ધ્રોલમાં અચાનક વિદ્યાર્થીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે. અચાનક જ ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી વ્યાપી છે. બનાવની વાત કરીએ તો ધ્રોલમાં ધોરણ ૬માં અભ્યાસ કરતો વ્રજ સોરઠિયા નામનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો. જેથી તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. હાલ વિદ્યાર્થીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે. સૈનિક સ્કૂલની તૈયારી કરવા માટે વ્રજ સોરઠિયા ધ્રોલમાં શિક્ષકને ત્યાં રહેતો હતો.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more