અમદાવાદમાં સુતેલા વ્યક્તિ પર કાર ચઢાવી દેતા પીડિતનું ઘટના સ્થળે જ મોત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. તેવા અમદાવાદમાં પણ વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના સાણંદ સર્કલ ઓવરબ્રિજ પાસે નીચે સુતેલા વ્યક્તિ પર ગાડી ચઢાવી દેતા પીડિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર કાર ચાલકે કાર પાર્ક કરતી સમયે આ દુર્ઘટના સર્જી હતી. નીચે સુતેલા વ્યક્તિને માથાના ભાગમાં ઈજા થતા કરુણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના અંગે એસ.જી હાઇવે ટ્રાફિક – ૨ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Share This Article