સની લિયોનીની બાયોપિકમાંથી કૌર શબ્દ હટાવવાની માંગ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

એક્ટ્રેસ સની લિયોનીની બાયોપિકનું ટ્રેલર રિલીઝ થયા બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. SGPC ની પ્રવક્તા દિલજીત સિંહ બેદીએ સની બાયોપિકનું નામ અને કૌર શબ્દ પર આપત્તિ છે તેમ જણાવ્યુ હતુ. સની લિયોનીની બાયોપિક કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની, જેનુ ટ્રેલર સામે આવી ગયુ છે. તે ફિલ્મમાં સની જાતે જ તેનુ કેરેક્ટર નિભાવશે.

ફિલ્મનું આવુ નામ જોઇને દિલજીત સિંહે કહ્યુ કે, આવુ નામ એ શીખોની ભાવના સાથે રમત રમી હોય તેવુ લાગી રહ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, ધર્મ બદલી નાંખ્યા બાદ સની લિયોનીએ કૌર શબ્દનો ઉપયોગ ના કરવો જોઇએ. હાલમાં છે.

તમને જણાવી દઇએ કે સની લિયોનીની આ બાયોપિક 16 જુલાઇથી ઝી5 એપ પર દર્શાવવામાં આવશે. જેને ડિરેક્ટ આદિત્ય દત્ત કરી રહ્યાં છે. આવુ પહેલી વાર થઇ રહ્યુ છે કે, કોઇ અભિનેત્રી પોતે જ પોતાની બાયોપિકમાં કામ કરી રહી છે. આ બાયોપિક ઉપર ઘણા લોકોની નજર છે. કારણકે સની લિયોનીએ પોતાના જીવનમાં ખૂબ ઉતાર ચડાવ જોયા છે.

 

Share This Article