ગ્રાહકના ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થશે તો બેંક નુકશાની ચૂકવશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિલ્હીની રોહિણી કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે, જે મુજબ જાે કોઈ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે, એટલે કે તે છેતરપિંડી કરે છે, તો તેની જવાબદારી બેંકની રહેશે.

એક વૃદ્ધ વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી. બનાવટી ચેક દ્વારા ૭૭ વર્ષીય વ્યક્તિના ખાતામાંથી સાત લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. તેના પર વૃદ્ધ છેલ્લા ૧૫ વર્ષથી બેંક સામે કેસ લડી રહ્યા હતા. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે વૃદ્ધોની નિવૃત્તિ અને પેન્શનના પૈસા બેંકમાં જમા છે.

આવી સ્થિતિમાં, જાે કોઈ નકલી ચેક દ્વારા તેમના પૈસા ઉપાડે છે, તો તેનો અર્થ એ છે કે બેંક સ્તરે ખામીઓ છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની રકમ ચૂકવવાની જવાબદારી બેંકની છે. કોર્ટે કહ્યું કે વૃદ્ધોની અરજી દાખલ કરવાથી લઈને રકમની ચુકવણી સુધી બેંક નવ ટકા વ્યાજ પણ ચૂકવશે.

વડીલે દાખલ કરેલી અરજી મુજબ તેણે સિન્ડીકેટ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. ૨૦૦૭માં તેમના ખાતામાં નવ લાખ રૂપિયા હતા. આ રકમમાંથી તેણે અઢી લાખનો ખર્ચ કર્યો હતો. આ પછી બેંક ખાતામાં ૧.૨૫ લાખ બાકી રહ્યા હતા. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગમાંથી વરિષ્ઠ ક્લાર્કના પદ પરથી નિવૃત્ત થયા પછી, તેઓ ૬ જુલાઈ, ૨૦૦૭ના રોજ તેમની પાસબુક લેવા બેંકમાં ગયા હતા.

જ્યારે તેણે તેની પાસબુક અહીં અપડેટ કરાવી તો તેને માહિતી મળી કે ખાતામાં કોઈ રકમ નથી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આખી રકમ ત્રણ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. આ મામલામાં જ્યારે બેંકે તેમને કોઈ સહયોગ ન આપ્યો તો વૃદ્ધે ગ્રાહક કોર્ટમાં અરજી કરી.

પરંતુ ત્યાં યોગ્ય પુરાવાના અભાવે ર્નિણય લઈ શકાયો ન હતો. ત્યારપછી બેંકિંગ ઓમ્બડ્‌સમેનને ફરિયાદ કરી. તેમણે આ મામલો ભારતીય રિઝર્વ બેંકના જનરલ મેનેજરને મોકલ્યો. આ દરમિયાન કોઈએ નકલી સહી કરીને પૈસા ઉપાડી લીધા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. વૃદ્ધે કોર્ટમાં કહ્યું કે તેની પાસે તે સીરીઝની ચેકબુક નથી, પરંતુ તે પછી પણ તે ૧૫ વર્ષ સુધી કોર્ટમાં કેસ લડતો રહ્યો.

Share This Article