અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહા સુદ અગિયારસને શનિવાર તારીખ 8/2/2025 ના રોજ નવરંગપૂરામાં બિરાજમાન શ્રી અંબાજી માંની વર્ષ ગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મંદિરમાં નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઈભક્તોએ હાજર રહી મા અંબાના આશીર્વાદ લીધા હતા.