નક્સલવાદી નવા હુમલા કરવા માટે તૈયાર : હેવાલ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નવી દિલ્હી :  દેશના કેટલાક રાજ્યોમાં નક્સલવાદીઓ હજુ સક્રિય થયેલા છે. નક્સલવાદીઓ હવે નવા હુમલા કરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓ પાસે હવે નાણાં આવી ગયા છે. આવી સ્થિતીમાં નવા હુમલા કરવાની રાહ જોવામાં આવી રહી છે. નક્સલવાદીઓ નવા હુમલાને અંજામ આપવા માટે પોતાના આકાઓના આદેશની રાહ જાઇ રહ્યા છે. કોઇ પણ સમય આદેશ મળ્યા બાદ હવે હુમલા કરવામાં આવશે.

ગુપ્તચર સંસ્થાઓને બાતમી મળ્યા બાદ નક્સલવાદીગ્રસ્ત રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. નક્સલવાદી વિતેલા વર્ષોમાં પોલીસ અને સુરક્ષા દળના કાફલા પર વધારે હુમલા કરતા રહ્યા છે. હવે પોતાની હાજરી પુરવાર કરવા માટે કેટલાક સંગઠનની મદદ પણ લેવામાં આવી રહી છે. નક્સલવાદી ગતિવિધી પર બ્રેક મુકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં નોટબંધીના કારણે તેમની હાલત વધારે કફોડી બની છે. નક્સલવાદીઓ મુખ્યરીતે બિહાર, ઝારખંડ અને છત્તિસગઢમાં વધારે સક્રિય છે. તેમની ગતિવિધી પર નજર રાખવામાં આવી રહી છે.

Share This Article