સ્વાઈન ફ્લૂનો આતંક હજુય જારી : મૃત્યુઆંક વધી બાવન 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: સ્વાઈન ફ્લુના કારણે રાજ્યભરમાં ભારે આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુથી વધુ એકનું મોત થતાં મોતનો આંકડો વધીને આજે બાવન ઉપર પહોંચી ગયો હતો જ્યારે ૨૩ નવા કેસોની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૨૯ ઉપર પહોંચી ગઇ છે. ૨૧૮ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે ૧૩૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના પાંચ, આણંદ ત્રણ, સુરત, વડોદરા, કચ્છ અને ભાવનગરમાં ૨-૨ કેસો નોંધાયા હતા. સ્વાઈન ફ્લૂના કારણે ગુજરાતમાં કાળો કેર યથાવત રીતે જારી રહ્યો છે.

સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. સ્વાઈન ફ્લૂના વધુ ૨૩ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો બાવન ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૨૯ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૨૧૮થી વધુ છે. આવી Âસ્થતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે.ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે.

જ્યાં ૬૫૬ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં આજે નવા કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૫૬ થઈ છે. ગઈકાલ સુધી અમદાવાદમાં  સ્વાઈન ફ્લૂના કેસોની સંખ્યા ૬૫૧ હતી. અમદાવાદમાં પાંચ કેસ સપાટી પર આવ્યા હતા. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૧૮ના મોત થયા છે. જ્યારે આ વર્ષે મોતનો આંકડો ખૂબ ઉંચે પહોંચ્યો છે. સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

Share This Article