કિલર સ્વાઇન ફ્લુનો કેર હજુ જારી : વધુ ત્રણ દર્દીઓના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ  : સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સ્વાઇન ફ્લુનો કાળોકેર યથાવત રીતે જારી રહ્યો છે. આજે વધુ ત્રણ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૩૬ ઉપર પહોંચ્યો હતો. હજુ પણ ૩૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે ૩૫ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જે પૈકી સુરતમાં ૭, અમદાવાદમાં પાંચ અને વડોદરામાં ચાર કેસનો સમાવેશ થાય છે. પહેલી સપ્ટેમ્બર બાદથી અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ ૫૭૨ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો સપ્ટેમ્બર બાદથી ૧૫ ઉપર પહોંચી ચુક્યો છે.

નવા ૩૫ કેસની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૩૩૮ સુધી પહોંચી ગઈ છે. સૌથી વધારે મોત અમદાવાદમાં નોંધાયા છે. બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે, અમદાવાદમાં મોતનો આંકડો વધુ હોઈ શકે છે. સ્વાઈન ફ્લુને લઇને માહિતી છુપાવવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી. કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે.

જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોÂસ્પટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૬ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૫૩ના મોત થઇ ચુક્યા છે.

અમદાવાદ શહેરમાં મોત થવા  માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૩૩૮થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ નોંધાય તેવી શક્યતા છે. સ્વાઈન ફ્લુના લીધે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

 

Share This Article