ગુજરાત : સ્વાઈન ફ્લુના વધુ  કેસો, મોતનો આંક ૬૩ થયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 

અમદાવાદ :  સ્વાઈન ફ્લુના કારણે અમદાવાદ અને અમરેલીમાં એક-એક વ્યÂક્તનું મોત થયું છે. આની સાથે જ મોતનો આંકડો વધીને સત્તાવારરીતે ૬૩ ઉપર પહોંચી ગયો છે. આજે અમરેલી અને અમદાવાદમાં એક-એક વ્યÂક્તનું મોત થયું હતું. બીજી બાજુ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. નવા કેસની સાથે સ્વાઈન ફ્લુગ્રસ્ત કેસોની સંખ્યા ૧૮૭૯ નોંધાઈ ચુકી છે. ૧૨૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. છેલ્લા ૫ દિવસના ગાળામાં સૌથી વધારે દર્દી કચ્છ જિલ્લામાં સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિસ્તારોમાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા વધુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક વ્યÂક્તના મોત સાથે મોતનો આંકડો ૨૧ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા ૬૯૫થી પણ ઉપર પહોંચી ચુકી છે. આ વર્ષે જાન્યુઆરી બાદથી સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ઉલ્લેખનીયરીતે વધી છે. હજુ સુધી ૧૬૮૭ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૬૮૭ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વર્ષે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની રજા  પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. ૧૨૯ દર્દીઓ રાજ્યની જુદી જુદી હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે.

આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસો નોંધાયા છે. પહેલી સપ્ટેમ્બરથી હજુ સુધી દર્દીઓની સંખ્યા ૧૮૭૯ સુધી પહોંચી છે. આજે તમામ વધુ ઉમેરો થયો હતો. એકલા અમદાવાદ મનપા ક્ષેત્રમાં વધુ એક કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૯૫થી વધુ થઈ ચુકી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સંબંધિત વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૮૨ ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૯૫થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

 

 

Share This Article