સ્વાઈન ફ્લૂનો કાળો કેર હજુ જારી : વધુ ૧૭ કેસો નોંધાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : સ્વાઈન ફ્લુના કારણે રાજ્યભરમાં ભારે આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુથી સુરતમાં આજે એકનું મોત થયું હતું. આજે સ્વાઈન ફ્લુના વધુ ૧૭ કેસ સપાટી પર આવ્યા હતા. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ નવ કેસ નોંધાયા હતા. રાજકોટ અને સુરતમાં બે બે કેસ નોંધાયા હતા. જ્યારે જામનગર અને જુનાગઢમાં સ્વાઈન ફ્લુના એક એક કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે વધુ ૧૭ કેસની સાથે જ કેસોની સંખ્યા વધીને હવે ૧૬૪૬ સુધી પહોંચી ગઈ છે. જ્યારે સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા ૧૮૯ જેટલી છે.  વધુ એકનું મોત થતાં મોતનો આંકડો વધીને આજે ૫૩ ઉપર પહોંચી ગયો હતો જ્યારે ૧૭ નવા કેસોની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૪૬ ઉપર પહોંચી ગઇ છે.

૧૩૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૯ કેસ આજે નોંધાયા હતા.સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૫૩ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૪૬ સુધી પહોંચી ગઈ છે.

સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૮૯થી વધુ છે. આવી Âસ્થતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે.ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૬૫ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં આજે નવા નવ કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૬૫ થઈ છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૧૮ના મોત થયા છે. જ્યારે આ વર્ષે મોતનો આંકડો ખૂબ ઉંચે પહોંચ્યો છે. સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતમાં પણ પગલા લેવામાં આવી રહ્યા છે.

Share This Article