ICC Men’s T20 World Cup 2026ની 36મી મેચમાં Suryakumar Yadavની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ નેધર્લેન્ડ્સને 17 રનથી હરાવી દીધું. આ જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં સતત ચાર જીત મેળવી ‘સુપર-8’માં પ્રવેશ કર્યો. આ જીત સાથે સૂર્યકુમાર યાદવે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે T20I ક્રિકેટના ઇતિહાસમાં કપ્તાન તરીકે સૌથી વધુ વિનિંગ પરસેન્ટેજ તેમનાં નામે છે. તેમણે આ મામલે પૂર્વ કપ્તાન રોહિત શર્માએ પાછળ છોડી દીધા છે. નેધર્લેન્ડ્સ સામે ભારતે પહેલા બેટિંગ કરતાં 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં નેધર્લેન્ડ્સની ટીમ 176 રન સુધી જ પહોંચી શકી. ભારતની જીતના હીરો શિવમ દુબે રહ્યો, જેમણે તોફાની અર્ધશતક ફટકાર્યું અને સાથે 2 વિકેટ પણ ઝડપી.
ભારતની આ જીત બાદ સૂર્યકુમાર યાદવનો જીતનો ટકા 80.85 થયો છે, જે રોહિત શર્માના 80.65 ટકા કરતા થોડો વધુ છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી 47 મેચોમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરી છે, જેમાંથી 38 મેચમાં જીત અને 7 મેચમાં હારનો સામનો કર્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે 62માંથી 50 મેચ જીતી હતી, જ્યારે 12માં હાર મળી હતી. અન્ય ભારતીય કપ્તાનોની વાત કરીએ તો એમએસ ઘોનીનો જીતનો ટકા 58.33 હતો, જ્યારે વિરાટ કોહલીનો 64 ટકા રહ્યો હતો.
T20I ઇન્ટરનેશનલ ઇતિહાસમાં કપ્તાન તરીકે સૌથી વધુ જીત ટકાવારી
સૂર્યકુમાર યાદવ – 80.85%
રોહિત શર્મા – 80.65%
અસગર અફઘાન – 80.39%
ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતનો અભિયાન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. સતત ચાર મેચ જીતીને ભારત સુપર-8માં પહોંચ્યું છે અને હવે ટીમ ઈન્ડિયાની નજર સેમિફાઇનલ પર છે.
નેધર્લેન્ડ્સ સામેની જીત સાથે ભારતે ટી20 વર્લ્ડ કપમાં સતત 12 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારત છેલ્લે 2022ના ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં હાર્યું હતું. ત્યારબાદથી ભારતે ટી20 વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યો નથી. આશા રાખવામાં આવે છે કે આ વર્લ્ડ કપમાં પણ ભારત અજેય રહી પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરશે.
