સબરીમાલા મંદિરમાં મહિલા એન્ટ્રીને સુપ્રીમની અંતે મંજુરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા એકપછી એક ઐતિહાસિક ચુકાદા આપવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે. મહિલાઓને પ્રવેશની મંજુરી આખરે મળી ગઇ છે.

કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે દરેક વયન મહલાઓ હવે મંદિરમાં પ્રવેશ કરી શકશે. શુક્રવારના દિવસે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિમાં મહિલાનુ સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પુજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી હતી.

ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ ચુકાદો વાંચતા કહ્યુ હતુ કે ધર્મના નામ પર પુરૂષવાદી વિચારધારા યોગ્ય નથી. વયના આધાર પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની બાબત ધર્મનો અખંડ હિસ્સો હોઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૪-૧ની બહુમતિ સાથે આવ્યો હતો. ફેંસલો વાંચતા ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે ભગવાન અયપ્પા ના ભક્તો હિન્દુ છે. આવી સ્થિતીમાં એક અલગ ધારેમક સંપ્રદાય બનાવવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. કોર્ટે કહ્યુ હતુ કે બંધારણની કલમ ૨૬ હેઠળ પ્રવેશ પર પ્રતિબંધને કોઇ કિંમતે યોગ્ય ઠેરવી શકાય નહી. બંધારણ પુજામાં ભેદભાવ કરી શકે નહી. માનવામાં આવે છે કે આ જજમેન્ટની વ્યાપક અસર થનાર છે.

બીજી બાજુ ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ પદ્મકુમારે કહ્યુ હતુ કે બીજા ધાર્મક પ્રમુખોનુ સમર્થન મળી ગયા બાદ જ આ ચુકાદાની સામે ફેરવિચારણા અરજી દાખલ કરવાના સંબંધમાં વિચારણા કરવામાં આવનાર છે. ચીફ જસ્ટીસ  દિપક મિશ્રાના નેતૃત્વમનાં બેંચે આ ચુકાદો આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે હાઇકોર્ટે પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો હતો. જેને લઇને હોબાળો થયો હતો.

Share This Article