બહુમતિ પરીક્ષણ :  અપક્ષોની અરજી હવે પર કાલે સુનાવણી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યોની અરજી પર તરત સુનાવણી કરવાનો આજે સાફ ઇન્કાર કર્યો હતો. અપક્ષ ધારાસભ્યો આર શંકર અને એચ નાગેશે સુપ્રીમ કોર્ટમાં કરેલી પોતાની અરજીમાં કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર વહેલી તકે મતદાન કરાવવા માટેની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી પર આજે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બંને અપક્ષ ધારાસભ્યોની અરજી પર હવે મંગળવારના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે.

બંને ધારાસભ્યોએ એ વખતે અરજી દાખલ કરી હતી જ્યારે તેમની અરજીના એક દિવસ પહેલા જ કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી  દ્વારા પણ અરજી કરવામાં આવી હતી. કુમારસ્વામીએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે રાજ્યપાલ વજુભાઇ વાળા વિધાનસભામાં બહુમતિ પરીક્ષણ પર જારી ચર્ચા વચ્ચે દરમિયાનગીરી કરી રહ્યા છે.

શુક્રવારના દિવસે વજુભાઇ વાળાએ બહુમતિ પરીક્ષણની પ્રક્રિયાને વહેલી તકે પૂર્ણ કરવા માટે કહ્યુ હતુ. તમામ લોકો સારી રીતે જાણે છે કે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના ૧૫ ધારાસભ્યોના બળવા બાદથી કર્ણાટકમાં જોરદાર કટોકટી ઉભી થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યોને રાહત આપી છે અને કહ્યુ છે કે તેમને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની ફરજ પાડી શકાય નહી.

 

Share This Article