અમદાવાદ: મહાશિવરાત્રિના પવિત્ર પર્વે ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવાનો વિશેષ મહિમા જણાવાયો છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે મંદિરમાં જઈને વિધિપૂર્વક ભગવાન શિવનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે. પૂજા કરતી વખતે પ્રાર્થના કરવી કે “હે નીલકંઠ! હું આપને પ્રાર્થના કરું છું કે મારી ઉપર કૃપા કરો, મારા જીવનના બધા દુઃખ દૂર કરો અને મારા બધા કાર્ય સિદ્ધ કરો. કામ, ક્રોધ, મોહ વગેરે દોષોથી મને મુક્ત કરો.”
નવરંગ સ્કૂલ નારણપુરામાં મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, આ અનોખી પહેલથી વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. તેમજ શિવનો મહિમા સમજાવવામાં આવ્યો હતો.
