ઉત્તરપ્રદેશ-મહાગઠબંધનનુ માળખુ અંતે તૈયાર કરાયુ છે, કોંગ્રેસ પાર્ટીને ખુબ ઓછી સીટો મળી શકે છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વારાણસી: લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે. ધારણા પ્રમાણે જ બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડી સાથે મળીને મહાગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડનાર છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને કોઇ પણ રીતે પછડાટ આપવા માટે આ વિપક્ષે ગઠબંધનની રચના કરીને મેદાનમાં ઉતરી જવાનો નિર્ણય કર્યો છે. મહાગઠબંધનના ચારેય પક્ષો વચ્ચે વ્યાપક સહમતી થયા બાદ કોની પાસે કઇ સીટ રહેશે તેની સંભવિત યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ચુકી છે.

ધારણા પ્રમાણે જ બહુજન સમાજવાદી પાર્ટીને સૌથી વધારે સીટો મળી છે. ઉત્તરપ્રદેશની કુલ ૮૦ સી પૈકી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને સૌથી વધારે ફાયદો થઇ રહ્યો છે. આ બન્ને પાર્ટીના ખાતામાં ૬૦ ટકા કરતા વધારે સીટો આવી ગઇ છે. બાકીની સીટ પર કોંગ્રેસ અને આરએલડીને મળશે. જો કે રીતે સીટોની વહેંચણી કરવામાં આવી છે તેને લઇને રાજકીય પંડિતો પહેલાથી જ ગણતરી કરી રહ્યા હતા.

એક બાબત તો નક્કી થઇ ગઇ છે કે ભાજપને હાર આપવાના એક માત્ર ઇરાદા સાથે ચારે પક્ષો સાથે મળીને જ ચૂંટણી લડનાર છે. આ પક્ષો તેમની કેટલીક મહત્વકાંક્ષાને છોડી દેવા માટે પણ તૈયાર થયેલા છે. જો કે બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી સાફ શબ્દોમાં કહી ચુક્યા છે કે સન્માનજનક સીટો મળશે તો જ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સાથે મળીને ચૂંટણી લડવામાં આવશે. જાણકાર લોકો માની રહ્યા છે કે આ ત્રણેય રાજ્યોમાં પણ ચૂંટણી પહેલા ગઠબંધન થશે તો કર્ણાટક કરતા વધારે સારી સ્થિતીમાં ગઠબંધન રહી શકે છે.

Share This Article