વધુ એક રાજ્યમાં કાવડ યાત્રા પર પથ્થરમારો,

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં સોમવારે રાત્રે મસ્જિદ નજીકથી પસાર થતી કાવડ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. શહેરમાં રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી રહી છે. હંગામા વચ્ચે ખંડવાના ડીએમ પોતે મોરચો સંભાળવા આવી ગયા છે. તેઓ લોકોને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડીએમનું કહેવું છે કે હંગામો મચાવનારાઓને છોડવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે, મહાદેવગઢ સંગઠનના બેનર હેઠળ સોમવારે સવારથી ખંડવા નગરમાં ‘હિન્દુ રાષ્ટ્ર કાવડ યાત્રા’ કાઢવામાં આવી રહી હતી. સવારે શરૂ થયેલી યાત્રા રાત્રે કહારવાડી મસ્જિદ સામે પહોંચી હતી. યાત્રા મસ્જિદથી થોડે દૂર પુરી થવાની હતી. આ દરમિયાન યાત્રાનો ભગવો ઝંડો લહેરાવતી વખતે એક વ્યક્તિ મસ્જિદ પાસે અથડાઈ હતો, જેના કારણે ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, ખંડવા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવારે ‘જય હિન્દુ રાષ્ટ્ર મહાદેવગઢ કાવડ યાત્રા’ કાઢવામાં આવી હતી. ઓમકારેશ્વરથી ખંડવા પહોંચેલી કાવડ યાત્રાનું શહેરના પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળોએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર ભોલેનાથના જયઘોષથી ગુંજી ઉઠ્‌યું હતું.

હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને અખંડ ભારતની પુનઃસ્થાપનાનો ઠરાવ કરીને આ કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. કાવડ યાત્રામાં હજારો યુવાનો જોડાયા હતા. જય હિન્દુ રાષ્ટ્ર કાવડ યાત્રા માટે પોલીસ-વહીવટ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના માર્ગો પર બેરિકેડીંગ કરવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. બધુ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ યાત્રાના છેલ્લા સ્ટોપ પહેલા, નજીવી બાબતે પથ્થરમારો થયો હતો, જેને પોલીસ દ્વારા કાબૂમાં લેવામાં આવ્યો હતો અને કાવડ યાત્રીઓને સ્થળ પરથી રવાના કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના કાર્યકરોને બોલાવી પથ્થરમારાની જગ્યાએથી રોડ પર પડેલા પથ્થરોને હટાવ્યા હતા. જિલ્લા કલેક્ટર અનૂપ કુમાર સિંહે જણાવ્યું કે પથ્થરમારાની એક નાની ઘટના બની હતી. હવે સ્થિતિ નિયંત્રણમાં છે. સામાન્ય જનતાને અપીલ કરતા તેમણે કહ્યું કે અફવાઓ પર વિશ્વાસ ન કરો. ડીએમએ કહ્યું કે તેઓ પોતે મોરચે આવ્યા છે. સ્થિતિ વધુ ન બગડે તે માટે વિવિધ સ્થળોએ પોલીસ દળ તૈનાત કરીને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. કલેક્ટર અનૂપ કુમાર સિંહે જણાવ્યું કે એસપી રજા પર હોવાના કારણે એડિશનલ એસપી અમારી સાથે હાજર છે. અમારી પાસે પથ્થરમારાના વીડિયો ફૂટેજ છે.

પથ્થરબાજોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની ઓળખ બાદ કાર્યવાહી કરવામાં આવશે. એડિશનલ એસપી સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ પણ ફ્લેગ માર્ચ કરી રહી છે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી ફોર્સ બોલાવીને શહેરમાં તૈનાત કરવામાં આવી રહી છે.

Share This Article