બજારમાં સતત બીજા દિવસે રિક્વરીથી નવી આશા જાગી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે રિક્વરી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૦૦ પોઇન્ટ રિક્વર થઇને ૩૭૫૩૯ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૨૭૧ની સપાટી પર રહ્યો હતો. ડોલરની સામે રૂપિયો ૧૦ પૈસા મજબુત થઇને ૭૦.૩૪ની સપાટી પર રહ્યો હતો.એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ઘટીને ૩.૭ ટકા થયો છે. હોલસેલ મોંઘવારીમાં રાહત થઇ છે. એપ્રિલ મહિનામાં ઘટીને તે ૩.૦૭ ટકા થઇ ગયો છે.

ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો માર્ચ ૨૦૧૯માં ૩.૧૮ ટકા હતો જે એપ્રિલ ૨૦૧૮માં ૩.૬૨ ટકા થઇ ગયો છે. શાકભાજીની કિંમતો વધવાથી એપ્રિલમાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ફુગાવામાં વધારો થયો છે. સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં શાકભાજીમાં ફુગાવો ૪૦.૬૫ ટકા સુધી પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં આ આંકડો ૨૮.૧૩ ટકા હતો. ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં ફુગાવો માર્ચમાં ૫.૬૮ ટકાથી વધીને એપ્રિલ ૨૦૧૯માં ૭.૩૭ ટકા થઇ ગયો છે. રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષામાં મુખ્યરીતે રિટેલ ફુગાવાના આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે છે.

રિઝર્વ બેંકે ગયા મહિને રેપોરેટમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો રેપોરેટમાં કરવામાં આવ્યો હતો. સોમવારના દિવસે રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવાનો આંકડો ૨.૯૨ ટકા સુધી પહોંચી ગયો છે. શાકભાજી, માંસ, ફિશ અને ઇંડા જેવી ચીજવસ્તુઓ મોંઘી બની છે. રિઝર્વ બેંકે એપ્રિલ-સપ્ટેમ્બર અવધિમાં રિટેલ ફુગાવો ૨.૯ ટકાથી ૩ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ મુક્યો છે. ગઇકાલે મંગળવારે કારોબારના અંતે સેંસેક્સ ૨૨૮ પોઇન્ટ સુધરીને ૩૭૩૧૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સનફાર્મા, ભારતી એરટેલ, વેદાંતા, ઇન્ડસઇન્ડ બેંક, એસબીઆઇના શેરમાં સૌથી વધારે તેજી રહી હતી.નિફ્ટીમાં ૭૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૨૨૨ રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધુ ગંભીર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.  પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, વેપાર મંત્રણા સફળ થવાની અપેક્ષા ખુબ ઓછી દેખાઈ રહી છે.

Share This Article