રાજ્યમાં મોટા શહેરોમાંતો સામાન્ય રીતે બસ સેવા મળી રહે છે. પરંતુ ગુજરાતના અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો છે. જ્યાં સરકારી બસ સેવાનો લાભ મળતો નથી. જેના કારણે ગ્રામ્યજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો આવી જ પરિસ્થિતિ ગીર સોમનાથના ઉના પાસેના નાના સમઢીયાળા ગામની પરિસ્થિતિ છે. ગીર સોમનાથના ઉના પાસેના નાના સમઢીયાળા ગામમાં ૧૮ વર્ષ બાદ એસટી બસ શરુ થઈ છે. ગ્રામજનોએ એસટી બસ ડ્રાઈવર કંડકટરના તિલક કરીને વધામણા કર્યા છે. ગ્રામજનો પાછલા ૧૮ વર્ષથી એસટી બસની માંગ કરતા હતા. બસના સ્વાગતમાં ઉના ધારાસભ્ય કે.સી.રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં ૧૮ વર્ષ બાદ એસટી બસ સેવા શરુ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અમદાવાદનો કિસ્સો, સંતાનો ફોનના બંધાણી થતા, કંટાળેલા માતા-પિતાએ ભર્યું એવું પગલું કે…
અમદાવાદ : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી એક વ્યક્તિનો ૧૮૧ અભયમમાં ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી અને દીકરો...
Read more