દિવંગત અભિનેતા અમજદ ખાન વિશે પુત્ર શાદાબ ખાને ઘણી હક્કીત જણાવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિવંગત અભિનેતા અમજદ ખાનના પુત્ર અને અભિનેતા શાદાબ ખાને એક પ્રશ્નનો જવાબ આપ્યો કે શું તેને તેના પિતાનો લકી ચાર્મ કહી શકાય. અમજદે ‘શોલે’ સાઈન કરી તે જ દિવસે શાદાબનો જન્મ થયો હતો. એક ઈન્ટરવ્યુમાં શાદાબે ખુલાસો કર્યો હતો કે અમજદ પાસે તેની માતા શેહલા ખાનને હોસ્પિટલમાંથી રજા અપાવવા માટે પૈસા નહોતા.

તેણે કહ્યું કે ફિલ્મ નિર્માતા ચેતન આનંદે તેને ૪૦૦ રૂપિયા આપીને મદદ કરી હતી. ‘શોલે’ વર્ષ ૧૯૭૫માં રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા સલીમ-જાવેદ દ્વારા લખવામાં આવી હતી અને રમેશ સિપ્પીએ દિગ્દર્શન કર્યું હતું. અમજદે આ ફિલ્મમાં ક્રૂર ડાકુ ગબ્બર સિંહનું પાત્ર ભજવ્યું હતું, જે આજ સુધી લોકપ્રિય છે.

આ પાત્રથી તેને લોકપ્રિયતા પણ મળી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, હેમા માલિની અને જયા બચ્ચન પણ મુખ્ય અને મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. ‘શોલે’ની ક્લાસિક અને ભારતની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણના થાય છે. શાદાબ ખાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “પરંતુ તેમની પાસે ચૂકવવા માટે પૈસા નહોતા જેથી મારી માતા શેહલા ખાનને જ્યાં મારો જન્મ થયો હતો તે હોસ્પિટલમાંથી રજા આપી શકાય. તે રડવા લાગી હતી.

મારા પિતા હૉસ્પિટલમાં નહોતા આવતા, તેમને ચહેરો બતાવવામાં શરમ આવતી હતી. ચેતન આનંદે મારા પિતાને એક ખૂણામાં માથું પકડીને જાેયા, તે દરમિયાન મારા પિતાએ તેમની ફિલ્મ ‘હિન્દુસ્તાન કી કસમ’ કરી હતી. ચેતન આનંદ સાહેબે તેમને ૪૦૦ રૂપિયા આપ્યા જેથી હું અને મારી માતા ઘરે આવી શકીએ. શાદાબ ખાને ‘શોલે’ની રિલીઝ પહેલાની એક ઘટનાને પણ યાદ કરી. તેણે કહ્યું, “જ્યારે ‘શોલે’ માટે મારા પિતા પાસે ગબ્બર સિંહનો રોલ આવ્યો ત્યારે સલીમ ખાન સાહેબે તેમના નામની ભલામણ રમેશ સિપ્પીને કરી.

ફિલ્મનું શૂટિંગ બેંગ્લોર એરપોર્ટથી ૭૦ કિમી દૂર બહારના વિસ્તાર રામગઢમાં થવાનું હતું. તેમણે બેંગ્લોરની ફ્લાઈટ લીધી અને તે દિવસે એટલો હંગામો થયો કે તેમણે ૭ વાર લેન્ડ કરવું પડ્યું. શાદાબે આગળ કહ્યું, “તે પછી જ્યારે ફ્લાઈટ રનવે પર ઉભી રહી, ત્યારે મોટાભાગના લોકો ડરીને ફ્લાઈટમાંથી બહાર નીકળી ગયા પરંતુ મારા પિતા બહાર ન આવ્યા. પરંતુ તેમને ડર હતો કે જાે તે ફિલ્મ નહીં કરે તો તે ડેની સાબ (ડેની ડેન્ઝોંગપા) પાછા જતા રહેશે. તેથી, થોડીવાર પછી તે પણ ફ્લાઇટમાંથી ઉતરી ગયા.”

Share This Article