By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Sunday, Mar 15, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદગુજરાત

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comVijay Rupani e1527151579293
SHARE

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article BJP e1574838293992 જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે
Next Article fabric ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

March 13, 2026

શૂઝની પાછળ કેમ આપવામાં આવે છે આ પટ્ટી? તમે ભલે રોજ પહેરતા હોય પણ નહીં હોય ખબર

shoes
Shoes
Dr. Preeti Adani leads expansion of program to empower 1 million women entrepreneurs 3

ડૉ.પ્રીતિ અદાણીએ ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું

morari bapu

T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમને મોરારી બાપુએ શુભેચ્છાઓ પાઠવી

content india

કન્ટેન્ટ ઈન્ડિયા 2026: ભારતીય મનોરંજન ઉદ્યોગના ભવિષ્ય પર ચર્ચા માટે વૈશ્વિક મંચ

MMCF

મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના વાર્ષિક MMCF પુરસ્કારો જાહેર, વિવિધ ક્ષેત્રના આગેવાનો સન્માનિત થશે

shubman gill

Fact Check: ટી20 વર્લ્ડ કપમાંથી સંજુની તસવીર ગાયબ, શું શુભમન ગિલે જાણી જોઈને આવું કર્યું? જાણો શું છે હકીકત?

sentner

ફાઈનલમાં હાર બાદ કિવીના કેપ્ટનનું રિએક્શન, પોતાની ટીમને લઈને કહી એવી વાત, જાણીને દરેક ભારતીયને ગર્વ થશે

stone

જો કિડનીમાં પથરી હોય અને તેની સારવાર ન કરાવવામાં આવે તો શું સમસ્યા થઈ શકે, ડોક્ટરે જણાવ્યું જોખમ

You Might Also Like

Kinjal Rabari
ગુજરાત

પાટણ: સિંગર કિંજલ રબારી આંતરજ્ઞાતીય લગ્ન વિવાદ બાદ ઘરે પરત, જાણો શું હતી સમગ્ર ઘટના

2 Min Read
Launch of Adi Samridhi company of women farmers inspired by Adani Foundation 2
ગુજરાતવડોદરાવુમન વિશેષ

વિશ્વ મહિલા દિવસની નેત્રંગમાં સાર્થક ઉજવણી, અદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા ખેડૂતોની ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનો પ્રારંભ

2 Min Read
lover
ગુજરાત

રાજકોટ: ઇન્સ્ટાગ્રામ પર પાંગર્યો પ્રેમ, 21 વર્ષીય મધ્યપ્રદેશની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી ગઈ

2 Min Read
indigo
ગુજરાત

23 એપ્રિલથી જામનગર–નવી મુંબઈ વચ્ચે ઈન્ડિગોની દૈનિક સીધી ફ્લાઈટ થશે શરૂ

2 Min Read
Nift 1
ગુજરાત

NIFT ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાવામાં આવી

8 Min Read
WhatsApp Image 2026 03 09 at 18.32.19
ગુજરાત

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સન્માન સમારોહ યોજાયો

2 Min Read
udgam 2
ગુજરાત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો

2 Min Read
balay
ગુજરાત

અખિલ ભારતીય બલાઈ મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ધામધૂમથી ઉજવણી, નારી શક્તિનું સન્માન

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?