By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, Sep 23, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદગુજરાત

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comVijay Rupani e1527151579293
SHARE

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article BJP e1574838293992 જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે
Next Article fabric ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

September 17, 2025

IRCTC સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો ટ્રેનની ટિકિટ કેવી રીતે બુક કરાવી શકાશે? જાણો તમામ માહિતી

ticket booking
Aadhaar Card
WhatsApp Image 2025 09 20 at 19.04.05

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અવાદા ગ્રુપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

WhatsApp Image 2025 09 19 at 1.24.28 PM

મનીષ મલ્હોત્રાની પહેલી ફિલ્મી રજૂઆત “ગુસ્તાખ ઇશ્ક – કુછ પહલે જૈસા” આ દિવસે થશે રિલીઝ

navratri 2

નારાયણ હેલ્થ સિટી અમદાવાદ દ્વારા એક જ દિવસે 5,500થી વધુ મહિલાઓના ઇસીજી સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

WhatsApp Image 2025 09 21 at 12.14.00

પીએમ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

navratri 1

Navratri 2025: વડોદરામાં યોજાતા યુનાઈટેડ વે જેવા ગરબા અમદાવાદમાં યોજાશે

kp.comnavratri

આ નવરાત્રી મનાવો થોડી સ્ટાઈલમાં, સ્ટાઇલ અને પરંપરાની પરફેક્ટ મિશ્રણ : નવરાત્રી આઉટફિટ ટ્રેન્ડ્સ

plot

ઝડપી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા ગરીબ પરિવારોના સપનાને સાકાર કરતી સંવેદનશીલ પહેલ

You Might Also Like

fation
અમદાવાદ

અમદાવાદીઓ તૈયાર થઈ જાઓ, સપ્ટેમ્બરના રોજ હાઇલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શનનું આયોજન કરાયું

2 Min Read
football
ગુજરાતરમત જગત

અમદાવાદમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ એકેડમી દ્વારા પાંચ દિવસીય તાલિમ શિબિરનો પ્રારંભ

2 Min Read
adani
બિઝનેસભારતવડોદરા

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા

3 Min Read
Rangat
ગુજરાત

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન, ગરબામાંથી થતી આવક ICU ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવશે

2 Min Read
adani
ગુજરાતબિઝનેસભારતશેર માર્કેટ

SEBIની ક્લીનચિટ બાદ અદાણી ગ્રુપના શેરો રોકેટ બન્યા, એક દિવસમાં ₹69,000 કરોડનો અધધ ઉછાળો!

3 Min Read
Kandla Port
Newsગુજરાતબિઝનેસ

આ નવા પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે

2 Min Read
Dharma
આંતરરાષ્ટ્રીયગુજરાત

ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ત્રિ – દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું

3 Min Read
navratri 3
ગુજરાત

2 લાખ સ્કેવર ફુટના પ્રાર્થના ઉપવનમાં થનારા શેરી ગરબામાં 30 હજાર લોકો ગરબા રમી શકશે

3 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?