By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Oct 18, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદગુજરાત

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comVijay Rupani e1527151579293
SHARE

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article BJP e1574838293992 જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે
Next Article fabric ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

October 12, 2025

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, હવે ઠંડીનો વારો, અંબાલાલ પટેલે કરી ધ્રૂજાવી નાખે એવી આગાહી

cold wave
Ambalal Patel
amd

ગુજરાતમાં સૌપ્રથમવાર આયોજિત થનારા પ્લસ સાઇઝ મેગા ફેશન શોના આયોજન કરવામાં આવ્યું

art

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

bhupendra patel 1 2

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: કોણ-કોણ બનશે મંત્રી? અહીં જુઓ ઝોનવાઇઝ ધારાસભ્યોની યાદી

derasar

અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડના ચાંદીની ચોરી, પ્રેમીકાને લીલા લેર કરાવવા પૂજારીએ કર્યો કાંડ, આ રીતે આપ્યો ચોરીને અંજામ

spa

ભાવનગરમાં સ્પાના નામે ગલગલીયા કરાતા હતા, પોલીસે દરોડા પાડી કુટણખાનાનો કર્યો પર્દાફાશ

art 1

ઈન્ગરસોલ રેન્ડ દ્વારા ગુજરાતના સાણંદમાં નવા ઉત્પાદન એકમ સાથે ભારતમાં વિસ્તાર

rupee

કેવી હતી આઝાદી પછીની પહેલી 100 રૂપિયાની નોટ, શું હતી તેની ખાસિયત?

You Might Also Like

kali chaudash 1
અમદાવાદ

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા ખાતે હવન અને સુંદરકાંડનું કરાશે આયોજન

1 Min Read
morari bapu 1
ગુજરાત

જેસલમેર બસ દુર્ઘટના માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

1 Min Read
lions club
અમદાવાદ

સેવા કાર્યોના અભ્યાસ કરવા માટે લાયન્સ ઇન્ટરનેશનલના ટોચના નેતાઓ અમદાવાદની મુલાકાતે

4 Min Read
accident
ગુજરાત

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં 3 માળની ઇમારત ધરાશાયી, 1નું મોત

1 Min Read
ZEISS
અમદાવાદ

ZEISS ઇન્ડિયાએ નેત્ર સાથેની ભાગીદારીમાં ગુજરાતના પ્રથમ ‘ઝાઇસ વિઝન સેન્ટર’નું અમદાવાદમાં ઉદ્ઘાટન કર્યું

2 Min Read
morari bapu
ગુજરાત

મોરારી બાપુએ ગોપનાથ રામકથામાં આપ્યો સંદેશ: સનાતન ધર્મ અને મંદિર સંસ્કૃતિનું સંરક્ષણ આપણી જવાબદારી

3 Min Read
filmfare
અમદાવાદમનોરંજન

અમદાવાદમાં યોજાયો 70મો ફિલ્મ ફેર એવોર્ડ, ‘લાપતા લેડી’ ફિલ્મે મારી બાજી, એક સાથે આટલા એવોર્ડ મળ્યાં

3 Min Read
dron didi
ગુજરાત

ગુજરાતની 58 ડ્રોન દીદીએ 18,000 એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને રૂ. 55 લાખથી વધુની આવક મેળવી

4 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?