By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, Dec 30, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદગુજરાત

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comVijay Rupani e1527151579293
SHARE

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article BJP e1574838293992 જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે
Next Article fabric ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

December 23, 2025

માથામાં ગોળી લાગ્યા બાદ મહિલા RFO સોનલ સોલંકીનું લાંબી સારવાર બાદ મોત! જાણો શું હતો સમગ્ર મામલો

RFO
RFO Sonal Solanki Firing
new rules

8માં પગાર પંચથી લઈને CNG ગેસ સુધી, નવા વર્ષે 2026માં બદલાઈ જશે આ 10 નિયમો

liqour

રોજ એક ક્વાર્ટર દારુ પીવાથી શું થાય? લિવરના ડોક્ટરે જણાવી હકીકત, 13 મિલિયન લોકોએ જોયો વીડિયો

vishvaumiyadham

વિશ્વઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલન આયોજન કરાયું, 20 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકો ભાગ લેશે

ginger

લ્યો હવે આ જ બાકી હતું! બજારમાં આવી ગયું નકલી આદું, જાણો કેવી રીતે કરવી અસલી-નકલીની ઓળખ

crime confernce

ગુજરાત પોલીસમાં વિશેષ કામગીરી બદલ 31 ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’થી સન્માનિત કરાયા

Commercial operations begin at Navi Mumbai International Airport with first arrival and departure flights

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

WhatsApp Image 2025 12 26 at 16.31.42

કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

You Might Also Like

namotsav
ગુજરાત

અમદાવાદમાં 150 કલાકારો દ્વારા પીએમ નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર આધારિત નમોત્સવ દ્વારા પ્રેરણાદાયક રીતે રજૂ કરવામાં આવી

4 Min Read
ST Bus
ગુજરાત

વિમાન અને રેલવે જેવી સુવિધા હવે ગુજરાતની એસટી બેસમાંં મળશે, એક્સપ્રેસ બસમાં ‘FOOD ON BUS’ સેવા મળશે

2 Min Read
kite
અમદાવાદ

ડો. નીતિન સુમન્ત શાહ હાર્ટ ફાઉન્ડેશનના સહયોગથી વંચિત બાળકોને પતંગ અને ચોકલેટનું વિતરણ કરાયું

2 Min Read
gift city
ગુજરાત

ગિફ્ટ સીટી ખાતે દારુને લઈને વધુ છૂટછાટ મળી, વિદેશી અને બહારના રાજ્યના મુલાકાતીઓને મળશે પરમિટ

2 Min Read
wine
અમદાવાદગુજરાત

આ સિટીને મળી ભેટ, અહીં છુપાઈને નહી પણ છુટથી પીવાશે દારૂ

2 Min Read
polo
ગુજરાતરમત જગત

ગુજરાત પોલો ક્લબ દ્વારા અદાણી ગ્રુપના સહિયોગથી ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નું આયોજન કરાયું

5 Min Read
udgam
ગુજરાત

ગાંધીનગર ખાતે સાતમાં ઉદગમ શબ્દ સુરોત્સવનું આયોજન કરાયું

3 Min Read
WhatsApp Image 2025 12 22 at 5.20.53 PM 1
અમદાવાદઇવેન્ટગુજરાતવિશેષ

WALK OF COURAGE : 30 કેન્સર સર્વાઈવર્સ દ્વારા કરવામાં આવેલ ભાવનાત્મક રેમ્પ વોક

4 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?