જાપાનને ભારતમાં ઉત્પાદિત ગ્રીન એમોનિયા સપ્લાય કરવા માટે સેમ્બકોર્પે સોજિત્ઝ અને ક્યુશુ ઇલેક્ટ્રિક સાથે ભાગીદારી કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સિંગાપુર: સેમ્બકોર્પ ગ્રીન હાઈડ્રોજન પીટીઇ લિમિટેડ, જે સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે તેણે સોજિત્ઝ કોર્પોરેશન અને ક્યુશુ ઇલેક્ટ્રિક પાવર કં. ઇંક સાથે જાપાનમાં નિકાસ માટે ભારતમાં ગ્રીન એમોનિયા ઉત્પાદનની સંભવિત તકોને અનુસરવા માટે સમજૂતી પત્ર (MOU) કર્યાં છે. સોજીત્ઝ એ ઉર્જા વેપાર અને રોકાણ વ્યવસાયો સાથેનું એક જાપાની જૂથ છે, જ્યારે ક્યુશુ ઈલેક્ટ્રિક એ મુખ્ય જાપાનીઝ ઊર્જા કંપની છે, જે મુખ્યત્વે જાપાનના ક્યુશુ પ્રદેશમાં પાવર પુરો પાડે છે.

જાપાનના અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા 16 ડિસેમ્બર, 2023ના રોજ યોજાયેલી એશિયા ઝીરો એમિશન કોમ્યુનિટી લીડર્સ મીટિંગમાં સમજૂતી પત્ર (એમઓયુ) રજૂ કરવામાં આવ્યો હતો. જાપાન 2030 સુધીમાં ઈંધણ માટે 3 મિલિયન ટન એમોનિયા આયાત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેની માંગ 2050 સુધીમાં વધીને 30 મિલિયન ટન થવાની ધારણા છે. જાપાનના વીજ પુરવઠા મિશ્રણને ડીકાર્બોનાઇઝ કરવા માટે એક મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત તરીકે ગ્રીન એમોનિયા સાથે આ ભાગીદારી 2050 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાના સરકારના ધ્યેયને સમર્થન આપશે.

સમજૂતી પત્ર (એમઓયુ) હેઠળ, કન્સોર્ટિયમ જાપાનને ગ્રીન એમોનિયા સપ્લાય કરવાની તકો શોધવાનો પ્રયાસ કરશે. રોકાણના અંતિમ નિર્ણય અને કોન્સોર્ટિયમ સપ્લાય વ્યવસ્થાને આધિન આખરી ઓપ છે, પક્ષકારો ભારતમાં લીડ ડેવલપર તરીકે સેમ્બકોર્પ સાથે ગ્રીન એમોનિયા સુવિધાઓના નિર્માણને આગળ ધપાવશે. સોજિત્ઝ અને ક્યુશુ ઈલેક્ટ્રિક જાપાનમાં ગ્રીન એમોનિયાના પરિવહનની દેખરેખ રાખવા અને જાપાનમાં ઓફટેકર્સને સુરક્ષિત કરવા માટે તેમની ઊર્જાના વેપાર અને પુરવઠાની ક્ષમતાનો લાભ ઉઠાવશે.

એશિયામાં એક અગ્રણી રિન્યુએબલ ખેલાડી તરીકે, સેમ્બકોર્પ લૉ-કાર્બન ભવિષ્ય તરફના આશાસ્પદ માર્ગ તરીકે હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝને આગળ વધારવા માટે વિવિધ ભાગીદારો સાથે સહયોગ કરી રહ્યું છે. સમજૂતિ પત્ર ભારતમાં સેમ્બકોર્પની સ્થાપિત હાજરીનો લાભ ઉઠાવે છે, જ્યાં તેની પાસે 3.7 ગીગાવોટનો એકંદર રિન્યુએબલ પોર્ટફોલિયો છે અને તે સેમ્બકોર્પના તેના પોર્ટફોલિયોના બ્રાઉનથી ગ્રીનમાં વ્યૂહાત્મક પરિવર્તનનો એક ભાગ છે.

આ સમજૂતિ પત્ર (એમઓયુ) 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ કમાણી અને સેમ્બકોર્પની શેર દીઠ ચોખ્ખી વાસ્તવિક અસ્કયામતો પર અસરકર્તા રહેશે નહીં.

Share This Article