સંજય સાથે રોમાન્સ કરનાર હિરોઇન બની સંજુની માતા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ જે સંજય દત્તના જીવન પર બનેલી છે તે 29 જૂને રિલીઝ થશે. તેમાં રણબીર કપૂર સંજય દત્તનુ પાત્ર ભજવી રહ્યાં છે. જ્યારે સંજયની માતા નરગીસનું પાત્ર મનિષા કોઇરાલા ભજવી રહી છે. મનિષાએ સંજય દત્ત સાથે ઘણી ફિલ્મોમાં રોમાન્સ કર્યા બાદ હવે ફિલ્મ સંજૂમાં તેની માતાનો રોલ કર્યો છે.

મનિષાએ જણાવ્યુ હતુ કે તે નરગિસને કદી મળી શકી નહોતી, પરંતુ સુનિલ દત્ત સાહેબે તેની ફિલ્મ બોમ્બેની તારીફ કરી હતી. સુનિલ દત્તે કહ્યું હતુ કે મનિષાએ તેમને નરગિસની યાદ અપાવી દીધી હતી. આટલા વર્ષો પછી મનીષાને નરગિસનુ પાત્ર ભજવવા મળ્યુ છે તે એક કોઇન્સિડન્સ જ છે. મનીષાએ તે પણ કહ્યુ હતુ કે તેને પ્રિયે દત્ત કે જે સંજય દત્તની બહેન છે તેણે નરગીસ વિષે એક પુસ્તક આપ્યુ હતુ. જેનાથી મનિષાને ઘણી માહિતી મળી કે નરગીસ રિયલ લાઇફમાં કેવા હતા.

હવે જ્યારે સંજુ 29 જૂનના રોજ રિલીઝ થઇ જ રહી છે ત્યારે જોવુ તે રહેશે કે તે બોક્સઓફિસ પર કેટલા રેકોર્ડ તોડે છે.

Share This Article