રૂપિયાનુ અવમુલ્યન : આયાત વધશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

દેશમાં આર્થિક સુસ્તની સ્થિતી વચ્ચે ડોલરની સામે રૂપિયામાં અવમુલ્યનનો દોર જારી રહ્યો છે. જેના કારણે એકબાજુ ભારત સરકાર અને તમામ અર્થશાસ્ત્રી ચિંતાતુર બનેલા છે. મોદી સરકાર-૨ દ્વારા અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા માટે હાલમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેનાથી ફાયદો થઇ રહ્યો છે.   ડોલરની સામે રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં વસ્ત્રોની નિકાસ કરનાર કારોબારીઓ અને ઉદ્યોગોને શાનદાર દેખાવ કરવા માટેની સુવર્ણ તક રહેલી છે. રૂપિયાના થઇ રહેલા અવમુલ્યન વચ્ચે ટેક્સ ટાઇલની ચીજ વસ્તુઓની આયાત કરનાર દેશો પણ ભારતમાંથી આયાતને લઇને હાલમાં પ્રાથમિકતા આપી રહ્યા છે. સાથે સાથે અમેરિકામાં વધતા જતા વેચાણના કારણે ભારતીય ટેક્સટાઇલ નિકાસકારો અને ઉદ્યોગોને શાનદાર દેખાવ કરવાની તક રહેલી છે. ભારત કેટલીક ચીજવસ્તુઓના સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે છે.

ભારત કપાસના સૌથી મોટા ઉત્પાદક દેશ અને નિકાસકાર દેશ પૈકી એક છે. આ એક તથ્ય છે કે ભારતીય વસ્ત્ર ઉદ્યોગનુ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૧ ટકા, નિર્માણ ક્ષેત્રનુ ૧૪ ટકા યોગદાન છે. આવી જ રીતે જીડીપીમાં ચાર ટકા અને દેશની નિકાસ આવકમાં ૧૨ ટકાનુ યોગદાન રહેલુ છે. જે સાબિત કરે છે કે ભારતીય વસ્ત્ર ઉદ્યોગનુ કેટલુ મહત્વ રહેલુ છે. આ ક્ષેત્રમાં રોજગારીની તક ઉભી કરવા માટેની શક્યતા પણ સૌથી વધારે છે. આ વાત જુદી છે કે છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં વસ્ત્ર અને ટેક્સ ટાઇલ ઉદ્યોગ તરફથી સરકારની પ્રત્યે કેટલીક માંગ રહી છે. તેમના ટાર્ગેટ પણ પૂર્ણ થઇ રહ્યા નથી. અમેરિકાના રાષ્ટ્રીય રિટેલ એસોસિએશનના નવેસરના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૮માં અમેરિકા ટેક્સ ટાઇલ અને વસ્ત્રોના વેચાણમાં નવી ઉંચાઇ સુધી પહોંચી શકે છે.

હાલના વર્ષોમાં અમેરિકામાં વસ્ત્રોનુ વેચાણ રેકોર્ડ ગતિથી વધી રહ્યુ છે. અમેરિકામાં બે મહાકાય રિટેલ સ્ટોર વોલમાર્ટ અને ટાર્ગેટ કોર્પ દ્વારા શાનદાર દેખાવ કરવામાં આવ્યો છે. આવનાર રજાના ગાળા દરમિયાન અમેરિકામાં વસ્ત્ર આયાત વધી જવાની શક્યતા છે.આના કારણે ભારતને સૌથી વધારે નિકાસ કરવા માટેની તક મળનાર છે. ભારતમાંથી સૌથી વધારે નિકાસ અમેરિકામાં થાય ચે. યુરોપિયન યુનિયનના દેશોમાં પણ વસ્ત્રોની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. જો કે વર્ષ ૨૦૧૬-૧૭માં આંકડા દર્શાવે છે કે ભારતમાંથી યુરોપને થનાર વસ્ત્ર નિકાસમાં આંશિક બ્રેકની સ્થિતી રહી હતી. યુરોપમાં ભારતમાંથી થનાર નિકાસનો આંકડો ૨૫ ટકા રહ્યો હતો.  અમેરિકામાં ટેક્સ ટાઇલ નિકાસ ૨૧ ટકા રહી હતી. રૂપિયાના સતત અવમુલ્યનના કારણે સ્થિતી સારી થઇ શકે છે. કારણ કે આયાતને પ્રાથમિકતા આપી રહેલા દેશો ભારતમાંથી વસ્ત્રોની આયાતના ઓર્ડર વધારી શકે છે.  અમેરિકામાં વેચાણના આંકડા સતત વધી રહ્યાછે. આવી સ્થિતીમાં ભારતના નિકાસકારોની સ્થિતી વધારે મજબુત બની શકે છે.

અમેરિકામાં વધતા જતા વેચાણના કારણે ભારતીયો ખુશ દેખાઇ રહ્યા છે. કેટલાક પગલા સ્થિતીનો લાભ લઇને નિકાસકારોને આપવાની જરૂર છે. નિકાસકારોને બેંકો પાસેથી પ્રાથમિકતાના આધાર પર લોન આપવાની વ્યવસ્થા કરવાની જરૂર છે. તેમને કોઇ પરેશાની ન થાય તેવા પ્રયાસ કરવા જોઇએ. ભારત અને અમેરકા વચ્ચે દ્ધિપક્ષીય વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં અમેરિકામાંથી ભારતને ૪૮.૩ ટ્રિલિયન ડોલરના નિકાસની તક મળી હતી. જ્યારે અમેરિકાએ ભારતમાંથી ૭૭.૪ ટ્રિલિયન ડોલરની આયાત કરી હતી. કેન્દ્રિય આંકડાકીય વિભાગના અધિકારી કહે છે કે વર્ષ ૨૦૧૭માં ભારતની જીડીપી વૃદ્ધિ ૬.૭ ટકા રહી હતી. જે વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકાનો દર રહ્યો હતો. અમેરિકાની નેશનલ રિટેલ ફેડરેશન ભારતના ટેક્સટાઇલ ક્ષેત્રમાં નિકાસને કેટલાક રીતે પ્રોત્સાહન આપે છે.

મોટી જરૂર એ બાબતની છે કે અમારી સરકાર તો નિકાસકારોને પ્રોત્સાહન આપે પરંતુ ભારતીય નિકાસકારોને પણ સાવધાન રહેવાની જરૂર છે.

Share This Article