લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં વરદાયિની માતાજીની પલ્લી નિકળી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિરથી દર વર્ષની જેમ જ આ વર્ષે નવરાત્રિના છેલ્લા દિવસે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે આજે રાત્રે પલ્લી કાઢવામાં આવી હતી. રૂપાલમાં પાંડવો-શ્રીકૃષ્ણ ભગવાને શરૂ કરેલી માતાજીની પલ્લી પરંપરા આજે અકબંધ રહી છે. એવી માન્યતા છે કે, માતાજીએ પોતાના લોહીવાળા વસ્ત્રો અને શરીર શુદ્ધ કરવા માટે અહીં માનસરોવર પ્રગટ કર્યું હતું અને રાક્ષસોનો નાશ કરીને પોતાના લોહીવાળા વ†ો અહીં શુદ્ધ કર્યા હતા. ત્યારબાદથી અહીં જ વસવાટ કરી દીધો હતો. આજે પલ્લીના ભાગરુપે પાર્કિગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

છ સ્થળોએ પા‹કગની વ્યવસ્થા કરાઈ છે. લાખો ભક્તોના ધસારાને લઇને મંદિરના આસપાસના વિસ્તારમાં છથી વધુ સ્થળોએ ફ્રી  પા‹કગની વ્યવસ્થા કરાઈ હતી. પાર્કિગના સ્થળે જમીન માલિકોને વરદાયિની માતા ટ્રસ્ટ દ્વારા પૈસાની ચુકવણી કરવામાં આવનાર છે. ગયા વર્ષે માતાજીની પલ્લીમાં પાંચ લાખ ઘીનો અભિષેક કરાયો હતો. ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુ પલ્લી અને મંદિરના દર્શનનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવી હતી. પરંપરાગત રીતે નિકળેલી આ પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હતો. ગુરુવારે મોડી રાત્રે નિકળેલી આ પલ્લીમાં આ વખતે  પણ હજારો ભાવિક દ્વારા ધીનો અભિષેક કરવામાં આવ્યો હતો. શેરીઓ ગુલાલમય બની ગઈ હતી. કેટલાક લોકો તો ૧૫ કિલો ઘીના ડબ્બા પણ ટ્રોલી અને અન્ય ડબ્બાઓમાં ઠાલવતા નજરે પડ્યા હતા. અભૂતપૂર્વ ધાર્મિક માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાની દેવી વરદાયીની માતાજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

હતા. અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના કારણે પહેલાથી જ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા વહિવટી તંત્રને એલર્ટ કરી દેવાયું હતું.ગામની અંદર અને મંદિર આસપાસ પોલીસના જંગી કાફલો તહેનાત કરી દેવાયો હતો. રૂપાલમાં આખી રાત ઐતિહાસિક ધર્મોત્સવનું વાતાવરણ જામનાર છે અને લાખો  ભક્તોએ માતાજીને દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન કરવાનો લ્હાવો મેળવ રહ્યા છે. ગાંધીનગર પાસે આવેલા સુપ્રસિધ્ધ રૂપાલ ગામમાં આજે બપોરથી માઈ ભક્તોના ટોળે ટોળા ઉમટી રહેલા જાવા મળ્યા હતાં. તેની સાથે ગામની ગલીઓમાં મુકાયેલી ટ્રેકટર ટ્રોલીઓ શુધ્ધ ધીથી ભરાતી નજરે પડતી હતી. તેમજ મંદિર પરિષરમાં મુકાયેલા પીપડામાં ભક્તો દ્વારા ધી ઠલવાઈ રહ્યું હતું. બાધા પુરી કરવા આવેલા ભક્તો દ્વારા ધી ખરીદવા માટે મંદિર આસપાસ શરૂ થયેલી દુકાનોમાં ભીડ થવા લાગી હતી. તેની સાથે મંદિર નજીક પોલીસ કાફલો બંદોબસ્તમાં તહેનાત થઈ રહ્યો હતો.

ભક્તોનું ધોડાપુર ઉમટી પડવાની ધારણાને લક્ષમાં લઈ સાંજના ૫ વાગ્યા પછી મંદિર તરફ જતા રસ્તાને વાહનો માટે બંધ કરી દેવાયાં હતા. મંદિર સૂત્રોનાં કહેવા મુજબ આ વખતે  લાખો ભક્તોનો ઘસારો  રહ્યો હતોઅને માતાની પલ્લી ઉપર લાખોના શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગાંધીનગરથી ૧૨ કિલોમીટરના અંતરે સ્થિત રૂપાલ ગામની ઓળખ પલ્લી તરીકે વધારે થાય છે. અહીં શુદ્ધ ઘીની નદીઓ નવરાત્રી દરમિયાન જાવા મળે છે.  નવરાત્રી દરમિયાન નોમના પલ્લીનું આયોજન કરાય છે. પૂજા અર્ચનામાં અનાજ, કઠોળ, ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. નોમના દિવસે પલ્લીની શરૂઆત સવારથી જ કરવામાં આવે છે અને માતાજીનો પંચબલી યજ્ઞ કરવામાં આવે છે. પલ્લીના કાર્યમાં ગામના લોકો જાડાઈને માતાજીની સેવાનો લ્હાવો લેતા હોય છે. પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે. રૂપાલમાં બિરાજતા વરદાયીની માતાજી પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. ભારે ઉત્સાહ દેખાયો હતો.

Share This Article