ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ પહેલી વખત કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેને સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ ફેન્સ સાથે શેર કર્યું. ટુર્નામેન્ટમાં સતત ૧૦ મેચ જીત્યા હોવા છતાં, ટ્રેવિસ હેડની સદીના કારણે અમદાવાદમાં ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. રોહિત ટૂર્નામેન્ટના અંતથી સોશિયલ મીડિયાથી દૂર રહ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની વનડે અને ટી૨૦ માંથી પણ બહાર થઈ ગયો છે. પરંતુ ભારતીય કેપ્ટને હવે આ મામલામાં પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે હાર પછી તેને ખબર નથી કે આ દર્દ કેવી રીતે દૂર કરવું. ઈન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક વાતચીતમાં રોહિતે સ્વીકાર્યું કે તે જાણતો ન હતો કે વર્લ્ડ કપની ફાઈનલમાં હારમાંથી કેવી રીતે બહાર નીકળવું. જે રીતે ભારત ફાઈનલ સુધી રમ્યું અને પછી અચાનક ફાઈનલમાં નિષ્ફળ સાબિત થયું, રોહિત કોઈ જવાબ વિચારી શક્યો ન હતો. તેના નિવેદનમાં ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે તેને આગળ વધવું મુશ્કેલ લાગ્યું, પરંતુ પછી ર્નિણય લીધો કે તેને હારને મનમાંથી દૂર કરવા માટે બ્રેક પર જવું જરૂરી છે.. તેને કહ્યું કે ‘મને ખબર ન હતી કે શરૂઆતના થોડા દિવસોમાં તેમાંથી કેવી રીતે પરત આવવું. મને ખબર નથી પડતી શું કરું. તમે જાણો છો, મારો પરિવાર, મારા મિત્રોએ મને આગળ વધાર્યો. મારી આસપાસ વસ્તુઓ ખૂબ જ હળવી રાખી, જે ખૂબ મદદરૂપ હતી. એ હાર પચાવવી સહેલી ન હતી, પણ હા, જીવન તો ચાલે જ છે. તમારે જીવનમાં આગળ વધવું પડશે. પરંતુ ઈમાનદારીથી તે મુશ્કેલ હતું. ફક્ત આગળ વધવું એટલું સરળ ન હતું. હું હંમેશા ૫૦ ઓવરનો વર્લ્ડ કપ જાેઈને મોટો થયો છું અને મારા માટે ૫૦ ઓવરનો વર્લ્ડ કપ સૌથી મોટું ઈનામ હતું. રોહિતે કહ્યું- અમે તે વર્લ્ડ કપ જીતવા માટે આટલા વર્ષો કામ કર્યું અને પછી જીતી શક્યા નહીં. તે નિરાશાજનક છે, જાે તમે તેમાંથી પસાર થશો નહીં અને તમને જે જાેઈએ છે તે ન મળે, તમે લાંબા સમયથી જે શોધી રહ્યા હતા, તમે જેનું સપનું જાેતા હતા, તો તમે નિરાશ થશો. ઘણી વખત મને લાગે છે કે જાે કોઈ મને પૂછે કે શું ખોટું થયું કારણ કે અમે ૧૦ મેચ જીત્યા અને તે ૧૦ મેચોમાં હા, અમે ભૂલો કરી તેથી અમે અમારી તરફથી શક્ય તે બધું કર્યું. પરંતુ આ ભૂલો દરેક મેચમાં થાય છે. તમે દરેક મેચમાં સમાન રીતે રમી શકતા નથી.. હિટમેને કહ્યું- જાે તમે બીજી બાજુ જુઓ તો મને ટીમ પર ગર્વ છે કારણ કે અમે જે રીતે રમ્યા તે બેજાેડ હતું. તમને દરેક વર્લ્ડ કપમાં આવું પ્રદર્શન કરવાની તક મળતી નથી. આનાથી લોકોને ઘણો આનંદ મળ્યો હશે, ફેન્લને તે ફાઈનલ પછી ટીમને રમતા જાેઈને ખૂબ ગર્વ થયો હશે. પાછું આવવું અને આગળ વધવું, ફરીથી શરૂ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, તેથી જ મેં નક્કી કર્યું કે મારે ક્યાંક જવું છે અને ફક્ત તે મારા મનમાંથી દૂર કરવું છે. પરંતુ પછી હું જ્યાં પણ હતો ત્યાં મને સમજાયું કે લોકો મારી પાસે આવી રહ્યા છે અને ત્યાં તેઓ દરેકના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે અને કહ્યું અમે કેટલું સારું રમ્યું છે. રોહિતે કહ્યું- મારો મતલબ છે, હું દરેક માટે અનુભવું છું, હું ફેન્સની લાગણીઓને પણ અનુભવું છું, કારણ કે તેઓ બધા અમારી સાથે હતા. તેઓ અમારી સાથે વર્લ્ડ કપ ઉઠાવવાનું સપનું જાેઈ રહ્યા હતા. આ સમગ્ર વિશ્વ કપ અભિયાન દરમિયાન અમે જ્યાં પણ ગયા, ત્યાં દરેક ફેન્સનો ખૂબ જ સપોર્ટ હતો.. રોહિતે વધુમાં ઉમેરી કહ્યું, હું કહેવા માંગુ છું કે આ દોઢ મહિનામાં લોકોએ અમારા માટે શું નથી કર્યું. પરંતુ પછી, જાે હું તેના વિશે વધુ વિચારું, તો હું ખૂબ નિરાશ છું કે અમે આ પ્રકારના પરિણામ વિશે વિચારતા ન હતા. લોકો મારી પાસે આવે છે અને મને કહે છે કે તેઓને ટીમ પર કેટલો ગર્વ છે. આનાથી મને અમુક અંશે સારું લાગ્યું. તેમની સાથે હું પણ ધીમે ધીમે સ્વસ્થ થયો. આ તે પ્રકારની વાત છે જે તમે સાંભળવા માંગો છો. રોહિતે કહ્યું- તમે જાણો છો કે જ્યારે તમે લોકોને મળો છો ત્યારે તેઓ સમજે છે કે ખેલાડી કેવામાંથી પસાર થઈ રહ્યો હશે અને જ્યારે તેઓ આવી વસ્તુઓ કરે છે અને તે નિરાશામાં તમારો સાથ આપે છે ત્યારે તેનો ઘણો અર્થ થાય છે. અમારા માટે, મારા માટે, તે ચોક્કસપણે ઘણો અર્થ હતો કારણ કે હું ગુસ્સે હતો. તે માત્ર પ્રેમ હતો, હું જે લોકોને મળ્યો અને તે જાેવાનું અદ્ભુત હતું. તે તમને પાછા આવવા અને ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કરવા અને ફરી એક નવું સાહસ શોધવાની પ્રેરણા આપે છે.
Sembcorp took part in the 4th Global Re-Invest 2024 Summit.
The summit served as a platform for industry leaders, policymakers, and innovators to discuss the future of renewable energy in...
Read more