રોહિત હત્યા કેસમાં પત્નિની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહેલા એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીના મોતના મામલામાં હવે રોહિતની પત્નિ અપૂર્વા શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત ખુલી શકે છે. આ ચકચારી કેસમાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. રોહિતના મોતને હજુ સુધી સામાન્ય મોત તરીકે રજૂ કરીને માહિતી સપાટી પર આવી રહી હતી પરંતુ હવે નવા વળાંક આવ્યા છે. પુછપરછ કરવામાં આવ્યા બાદ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી છે.  એવું જાણવા મળ્યું છે કે, સવારે બે વાગ્યાથી લઇને ચાર વાગ્યા વચ્ચેના ગાળામાં રોહિત શેખરની હત્યા કરવામાં આવી હતી. શેખર તિવારીની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ ઉંડી તપાસનો દોર શરૂ થઇ ચુક્યો છે. આ મામલામાં પુછપરછનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે.

આગામી દિવસોમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવે તેવી શક્યતા છે. રોહિત શેખરની પત્નિની પુછપરછ  કરવામાં આવી ચુકી છે. પોલીસને હજુ સુધી કેટલાક મામલામાં શંકા છે. હત્યાની શંકાને લઇને રોહિત શેખર તિવારીના પરિવારના સભ્યોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં હાલમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોહિતની પત્નિની પુછપરછ કરવામાં આવી હતી.  આ પહેલા શુક્રવારના દિવસે પોલીસે કહ્યુ હતુ કે રોહિતને હાર્ટ અટેકનો હુમલો થયો ન હતો. પરંતુ તેની ગળુ, મો અને નાક દબાવીને હત્યા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હત્યાથી પહેલા તેને શરાબમાં નશાની ચીજ આપી દેવામાં આવી હતી. બેભાન થઇ ગયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

ગુરૂવારના દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રોહિતના ગરદન પર પાંચ આંગળીના નિશાન મળી આવ્યા છે. ગળુ દબાવવામાં આવે ત્યારે તેનો આવાજ ન આવે તે માટે આ ક્રુર રીતિ અજમાવવામાં આવી હતી. હત્યાની શંકા થયા બાદ પોલીસે ઘરના પાંચ સીસીટીવી પર રહેલા ફોટો નિહાળ્યા હતા. એકમાં સોમવારના દિવસે નશામાં રોહિત સીડી ચઢતો દેખાય છે. સાથે સાથે શરાબ હાથમાં લઇને જતો નોકર  નજરે પડે છે.હત્યા કરનાર શખ્સ કોઇ ઘરની અંદરની વ્યક્તિ હોઇ શકે છે.

ક્રાઇમ બ્રાન્ચે ઘરમાં રહેલા તમામ લોકોને સાફ શબ્દોમાં કહ્યુ છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ વ્યક્તિ ઘર છોડીને બહાર ન જાય. અત્રે નોંધનીય છે કે મંગળવારના દિવસે ચાર વાગ્યા ડિફેન્સ કોલોની સ્થિત સી-૩૨૯ સ્થિત પોતાના આવાસમાં રોહિત શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ તેને મૃત જાહેર કરાયો હતો. રોહિત શેખર તિવારીની માતા ઉજ્જવલા તિવારીના પુત્રના મોતના મામલાને અગાઉ સામાન્ય તરીકે ગણાવ્યો હતો.

Share This Article