નવ બાળકો ના એસ યુ વી ની ટક્કરથી મૌત – બીહાર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આ ઘટના બીહાર ના મુઝ્ઝફર નગર ની છે, જ્યાં ઇસ્ટ મુઝફ્ફર નગરની સરકારી શાળા માં ભણતા બાળકો હાઇવે (એન એચ 77) ક્રોસ કરતા એક એસ યુ વી ના ટક્કર થી ઘાયલ થયા હતા અને લગભગ નવ બાળકો ના ઘટના સ્થળે જ મૌત નિપજ્યા હતા અને દસ જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ બાળકો ને શ્રી કૃષ્ણ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવા માં આવ્યા છે. આ મહિના માં આવો બીજો અકસ્માત છે જેમાં મોટા પ્રમાણ માં જાનહાની થઇ છે.

હાઇવે રોડ અકસ્માત થકી ભારત માં દર વર્ષે લગભગ પાંચ લાખ લોકો ના મૃત્યુ નીપજે છે.

Share This Article