ટી20 વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ અચાનક ઘરે પતર ફર્યો, જાણો એવું તે શું થયું કે છોડવો પડ્યો ટીમનો સાથ

Rudra
By Rudra 2 Min Read

Rinku Singh: ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચવા માટે 26 ફેબ્રુઆરીએ ટીમ ઇન્ડિયને મહત્વની મેચ રમવાની છે. ત્યારે આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રિંકુ સિંહને અચાનક ઘરે પરત ફરવું પડ્યું છે. તેના પાછા ફરવાનું કારણ ફેમેલી ઇમરજન્સી જણાવવામાં આવી રહી છે. અમદાવાદમાં સુપર 8ની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે હાર્યા પછી ટીમ ઇન્ડિયા આગામી મેચ માટે ચેન્નઈ પહોંચી હતી.

માહિતી અનુસાર, ઘરે પરત આવેલા રિંકુ સિંહ મંગળવારે ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો નહોતો. તેમજ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે યોજાનારી મેચમાં તેના રમવાની સંભાવના પણ ઓછી લાગી રહી છે. PTIએ BCCIના એક સૂત્રના હવાલે જણાવ્યું છે કે, રિંકુ સિંહ ફેમિલી ઇમરજન્સી કારણે ચેન્નાઈમાંથી ઘરે પરત ગયો છે. તે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ્ સ્ટેડિયમ (ચેપોક) ખાતે ભારતીય ટીમના ટ્રેનિંગ સેશનમાં જોડાયો નહોતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, રિંકુના પિતા ખાનચંદ સિંહની તબિયત ગંભીર છે અને તેમને ગ્રેટર નોઈડાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કારણસર રિંકુને અચાનક પરત આવવું પડ્યું. રિંકુના કેમ્પ છોડવાથી ગુરુવારે ઝિમ્બાબ્વે સામે થનારા ‘મસ્ટ-વિન’ સુપર-8 મુકાબલામાં તેમની હાજરી અંગે સવાલો ઊભા થયા છે.

ભારત ગુરુવારે ચેન્નાઈમાં ICC મેન્સ ટી20 વર્લ્ડ કપમાં પોતાની બીજી સુપર-8 મેચમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ રમતી ટીમ ઇન્ડિયા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જીત અનિવાર્ય છે. જો એ જ દિવસે વેસ્ટ ઇન્ડિઝ દક્ષિણ આફ્રિકાને હરાવે અને ભારત ઝિમ્બાબ્વે સામે હારી જાય, તો ટીમ ઇન્ડિયાનું ખિતાબ બચાવવાનું સપનું અધૂરું રહી શકે છે.

હાલ સુધી વર્લ્ડ કપમાં રમાયેલી મેચમાં રિંકુ સિંહનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેના બેટમાંથી વધારે રન આવ્યા નથી. દક્ષિણ આફ્રિકા સામેના સુપર-8 મુકાબલામાં તે ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયાને 26 ફેબ્રુઆરી અને 1 માર્ચે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝ સામે અગત્યની મુકાબલા રમવાની છે. આમાંથી એક પણ મેચ હારવાથી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે.

Share This Article