રેપો અને રિવર્સ રેપોરેટમાં અંતે ઘટાડો કરાયો : લોન સસ્તી થશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નવી દિલ્હી : ભારતીય રીઝર્વ બેંકની આજે નાણાંકીય નિતી સમીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે રેપો રેટમાં ધારણા પ્રમાણે જ ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ રેપો રેટ ઘટીને હવે ૬.૦૦ ટકા થઇ ગયો છે. જે હાલમાં ૬.૨૫ ટકા હતા. એમપીસીની છ સભ્યોની કમિટી પૈકી ચાર સભ્યોએ બહુમતિ દ્વારા આ નિર્ણય કર્યો હતો. નવો રેપોરેટ હવે અગાઉના ૬.૨૫  ટકાની જગ્યાએ ૬.૦૦ ટકા થઇ ગયો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા આજે તેના પરિણામ ત્રણ દિવસની બેઠક બાદ જાહેર કર્યા હતા.

મોનિટરી પોલિસી કમિટિએ રેટમાં કાપની તરફેણમાં ૪-૨ની બહુમતિથી નિર્ણય આપ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિયાન  વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે.

જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે.આરબીઆઈએ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. રિવર્સ રેપોરેટ છ ટકાથી ઘટાડીને ૫.૭૫ ટકા કરી દેવામાં આવ્યો છે. રિવર્સ રેપોરેટમાં કાપ મુકીને ૫.૭૫ ટકા કરવામાં આવ્યો છે. જીડીપી ગ્રોથની આગાહી વધારવામાં આવી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે જ્યારે રેપોરેટમાં ઘટાડો થયા છે ત્યારે લોન સસ્તી થાય છે.

આવી સ્થિતિમાં લોન સસ્તી થવાના સંકેત દેખાઈ રહ્યા છે.  વ્યાજદર ઘટશે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. છેલ્લી નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. તે પહેલા ડિસેમ્બરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં પણ વ્યાજદરમાં ઘટાડો કરવામા આવ્યો હતો. તે પહેલાપાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં  ધારણા પ્રમાણે જ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. રિવર્સ રેપોરેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે  ઓગસ્ટમાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરાયો હતો.

Share This Article