બેંકોમાં હવે આરબીઆઈ ૧.૬ લાખ કરોડ ઠાલવશે

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

નવીદિલ્હી :  બેંકોમાં રોકડની સમસ્યાને દૂર કરવા માટે આગામી ચોથા ત્રિમાસિક ગાળામાં આરબીઆઈ બેંકોમાં ૧.૬ લાખ કરોડ રૂપિયા ઠાલવશે. બેંક ઓફ અમેરિકા મેરીલિંચ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. આરબીઆઈએ વારંવાર કહ્યું છે કે, બેંકોની સ્થિતિને વધુ મજબૂત કરવામાં આવશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈને માર્ચ ત્રિમાસિક ગાળામાં ૧૬૦૦૦૦ કરોડ રૂપિયા અથવા તો ૨૨ અબજ ડોલરના ઓએમઓની જરૂર રહેશે.

 

Share This Article