મુંબઈ: જિયો સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપની તેમની ભવ્ય ઐતિહાસિક ફિલ્મ રાજા શિવાજીનો જોરદાર ફર્સ્ટ લૂક ટીજર રજૂ કરવા જઈ રહ્યા છે. આ ખાસ ઝલક માત્ર સિનેમાઘરોમાં જ જોવા મળશે. આ ટીજર ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ સાથે જોડવામાં આવ્યું છે, જેના પેડ પ્રીવ્યુ 18 માર્ચથી શરૂ થઈ ગયા છે.
ફિલ્મની પહેલી ઝલક માત્ર મોટા પડદા પર જ બતાવવામાં આવશે, જેથી દર્શકોને ભારતના મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને તેમની વિરાસતની એક ઝલક મળી શકે. આ ફિલ્મનું દિગ્દર્શન અને મુખ્ય ભૂમિકા જાણીતા અભિનેતા રિતેશ દેશમુખે સંભાળી છે.
‘રાજા શિવાજી’ એક એવા વિર દીકરાની પ્રેરણાદાયી ગાથા રજૂ કરશે, જેણે પવિત્ર સંકલ્પ લઈને શક્તિશાળી શત્રુઓ સામે લડી સ્વરાજ્યની સ્થાપના કરી હતી. ફિલ્મમાં શિવાજી મહારાજના સાહસ, સંઘર્ષ અને સ્વાભિમાનને ભવ્ય રીતે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મનું સંગીત પ્રખ્યાત સંગીતકાર જોડીએ અજય-અતુલે તૈયાર કર્યું છે, જ્યારે સિનેમેટોગ્રાફી દિગ્દર્શક સંતોષ સિવાને સંભાળી છે. નિર્માતાઓનો હેતુ આ ઐતિહાસિક કથાને ભવ્ય અને પ્રભાવશાળી રીતે રજૂ કરવાનો છે, જેથી વિશ્વભરના દર્શકો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી જાણી શકે.
આ ફિલ્મ Jio Studios દ્વારા રજૂ કરવામાં આવી રહી છે અને જ્યોતિ દેશપાંડે તથા જેનેલિયા દેશમુખે મુંબઈ ફિલ્મ કંપની હેઠળ તેનું નિર્માણ કર્યું છે.
ફિલ્મ ‘રાજા શિવાજી’ આગામી 1 મે 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સાહસ, માન અને સ્વરાજ્યની શરૂઆતની ગાથા રજૂ કરશે. એક મહાન યોદ્ધાની ગૂંજ હવે સમગ્ર ભારત અને દુનિયામાં સંભળાવાની છે.
