જેનો ડર હતો એ જ થયું… રાજા રઘુવંશી હત્યાકાંડમાં થયો મોટો ખુલાસો, પહેલા મુસ્કાન અને હવે સોનમે કર્યો કાંડ

Rudra
By Rudra 4 Min Read

ઇંદોરની સોનમ… જેણે 28 દિવસ પહેલા સાત ફેરા લીધા, સિંદૂર ભર્યું, વ્રત કર્યું અને પછી 20 મેના રોજ પતિ રાજા રઘુવંશી સાથે હનીમૂન પર શિલોંગ જતી રહી. પરંતુ ત્યાંથી જે સમાચાર આવ્યાં, તેનાથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો. રાજાની લાશ ઊંડી ખીણમાંથી મળી આવી અને સોમન લાપતા. હવે 17 દિવસ પછી કહાનીમાં મોટો વળાંક આવ્યો છે. સોમન જીવતી મળી આવી છે, યુપીના ગાજીપુરથી પોલીસે તેની અટકાયત કરી છે અને તેમાં થયેલા ખુલાસાએ બધાને ચોંકાવી દીધા છે.

સૂત્રો અનુસાર સોનમનું પહેલા અન્ય કોઈ યુવક સાથે અફેર હતુ અને તેને લઈને પતિ રાજાની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું. રાજાને પ્રેમજાળમાં ફંસાવીને શિલોંગ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.

11 મેના રોજ રાજા રઘુવંશી અને સોનમની લગ્ન થયા હતા. પરિવાર ખુશ હતો, સંબંધીઓએ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપ્યા અને 20 મેના રોજ બંને હનીમૂન માટે શિલોંગ રવાના થયા. 22 મેના રોજ યુગલ નોંગ્રિયાટ ગામના શિપારા હોમસ્ટેમાં રોકાયું હતુ. આગલા દિવસે સવારે 6 વાગ્યે ચેકઆઉટ કર્યુ અને ત્યારથી બંનેના મોબાઈલ બંધ થઈ ગયા હતા. 24 મેના મવાલખિયતથી આશરે 25 કિમી દૂર ઓસરા હિલ્સના પાર્કિંગમાં સ્કૂટી મળી હતી. ત્યાર પાદ જંગલામાં રાજા અને સોનમનો સામાન મળ્યો અને 2 જૂને રાજાની લાશ વેઈસાવડોન્ગ ઝરણા પાસે ઊંડી ખીણમાંથી મળી આવી. હાથ પર બનેલા ટેટૂ પરથી લાશની ઓળખ થઈ.

9 જૂને સવારે 3 થી 4 વાગ્યા વચ્ચે સોમન ગાજીપુરના નંદગંજ વિસ્તારમાં એક ઢાબા પર પહોંચી. ત્યાંથી તેણે ઢાબા સંચાલકનો ફોન લઈને પોતાના ભાઈને વીડિયો કોલ કર્યો અને જણાવ્યું કે તે ગાજીપુરમાં છે. ભાઈએ તરત ઇંદોર પોલીસને જાણ કરી, જેણે ગાજીપુર પોલીસને સંપર્ક કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સોનમને વન સ્ટોપ સેન્ટરમાં મેડિકલ તપાસ માટે રાખવામાં આવી. તપાસમાં ઘણી ઇજા અને મારપીટના કોઈ નિશાન મળ્યાં નહીં. પોલીસ સૂત્રો અનુસાર સોનમ કોઈ અન્ય યુવકના પ્રેમમાં હતી, લગ્ન પહેલા તેનું અફેર ચાલી રહ્યું હતુ. લગ્ન બાદ પણ બંને સંપર્કમાં રહ્યાં, સોનમે રાજાને માર્ગમાંથી હટાવવા માટે કાવતરુ ઘડ્યું અને પ્રેમી સાથે મળીને શિલોંગમાં હત્યાને અંજામ આપ્યો. રાજાની હત્યામાં કુલ ચાર લોકો સામેલ હતા. જેમાંથી ત્રણ ઇંદોરથી પકડાઈ ગયા. જ્યારે એક આરોપી ઉત્તર પ્રદેશથી છે. જે હાલ ફરાર છે. મેઘાલયના ડીજીપી એલ. નોંગ્રાંગે પુષ્ટિ કરી છે કે, ઇંદોર નિવાસી રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાજીપુરથી અટકાયતમાં લેવાયેલી સોનમની પૂછપરછ ચાલુ છે.

22 મેના રોજ શિલોંગના એક હોટલ બહારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સોનમ અને રાજા સ્કૂટી પર આવે છે અને બેગ રાખતા જોવા મળે છે. આ એજ સ્કૂટી છે જે બાદમાં બિનવારસી હાલતમાં મળી. તે સિવાય 23 મેના રોજ બપરે દોઢ વાગ્યે સોનમે રાજાની માં ઉમા દેવી સાથે છેલ્લીવાર વાત કરી હતી. કોલમાં સોનમે કહ્યું હતુ. માં તે મને જંગલોમાં ફેરવી રહ્યાં છે, ઝરણું જોવા આવ્યાં છીએ… તેના અડધા કલાક બાદ ફોન બંધ થઈ ગયો. ઓડિયો કોલમાં સોનમ ભોળી થઈને વ્રત, ખાવાને લઈને ફરિયાદ અને શ્વાસ ચડવાની વાત કરે છે, પરંતુ હવે તે જ સોનમ હત્યાની આરોપી છે.

આ વચ્ચે સોનમની માં સંગીતા સોનમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેણે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ધન્યવાદ કે તે મળી ગઈ છે. આ પણ દુઃખ છે, એ પણ દુઃખ છે. પરંતુ હજુ રાજાના હત્યારાની શોધખોળ પણ કરવાની છે.

શું સાચુ છે અને શું ખોટુ તે તપાસમાં ખબર પડી જશે. હું શું કહીશ. દીકરી મળી ગઈ છે પણ શું સાચુ છે. હવે તે આગળની વસ્તુઓની અમારે જ સામનો કરવો પડશે. હાલ ઇન્દોર પોલીસ સાથે સાથે શિલોંગ પોલીસ પણ ગાજીપુર પહોંચી રહી છે.

Share This Article