નવીદિલ્હી : કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલીએ આજે કહ્યું હતું કે, પાર્ટી પ્રમુખ તરીકે ચાલુ રહેવાની રાહુલ ગાંધીની એક ટકા પણ શક્યતા નથી. કોંગ્રેસના પીઢ નેતાએ કહ્યું હતું કે, તેમના નિર્ણયને કોઇ કિંમતે રાહુલ ગાંધી પરત ખેંચશે નહીં. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલે આ પ્રકારની પ્રતિક્રિયા સાફ શબ્દોમાં આપી હતી. વિરપ્પા મોઇલીએ કહ્યું હતું કે, કોઇપણ બાબત શક્ય બની શકે છે પરંતુ હાલની સ્થિતિમાં રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે રહેવા ઇચ્છુક નથી. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કાયદો અને ન્યાય, પેટ્રોલિયમ અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે તેઓ રહ્યા હતા. કોંગ્રેસ કારોબારી દ્વારા કોઇપણ નિર્ણય અંતિમરીતે લેવામાં આવશે.
કેનેડામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓનું સપનું મુશ્કેલ, કેનેડા સરકારનો મોટો નિર્ણય
નવી દિલ્હી : કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે હવે કેનેડા જવું થોડું મુશ્કેલ બનશે. હકીકતમાં કેનેડાની સરકારે આ વર્ષે સ્ટુડન્ટ...
Read more