નવીદિલ્હી : કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલીએ આજે કહ્યું હતું કે, પાર્ટી પ્રમુખ તરીકે ચાલુ રહેવાની રાહુલ ગાંધીની એક ટકા પણ શક્યતા નથી. કોંગ્રેસના પીઢ નેતાએ કહ્યું હતું કે, તેમના નિર્ણયને કોઇ કિંમતે રાહુલ ગાંધી પરત ખેંચશે નહીં. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલે આ પ્રકારની પ્રતિક્રિયા સાફ શબ્દોમાં આપી હતી. વિરપ્પા મોઇલીએ કહ્યું હતું કે, કોઇપણ બાબત શક્ય બની શકે છે પરંતુ હાલની સ્થિતિમાં રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે રહેવા ઇચ્છુક નથી. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કાયદો અને ન્યાય, પેટ્રોલિયમ અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે તેઓ રહ્યા હતા. કોંગ્રેસ કારોબારી દ્વારા કોઇપણ નિર્ણય અંતિમરીતે લેવામાં આવશે.
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના, કુવો સાફ કરવા ઉતરેલા 8 લોકોનું ગુંગળાઈ જવાથી મોત
ખંડવા : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં કૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા આઠ લોકોના મોત, 6 મૃતદેહ...
Read more