આજે મુંબઇમાં જવાહર લાલ નેહરૂ પોર્ટ (જેએનપીટી)ની ચોથી કંટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આ સાથે જ જેએનપીટી પોતાની કંટેનર સંચાલન ક્ષમતાને બેગણી કરી લેશે. નવું એફસીટી પહેલા તબક્કા દરમાન પ્રતિ વર્ષ 24 લાખ કંટેનરોની ક્ષમતા જોડશે અને 2022માં બીજો તબક્કો પૂર્ણ થતા જેનપીટીની ક્ષમતા પ્રતિ વર્ષ 100 લાખ કંટેનરની થઇ જશે.
આ ચોથા કંટેનર ટર્મિનલનો વિકાસ 7915 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચથી 30 વર્ષોની રિયાયિત સમય માટે ડિઝાઇન, બિલ્ટ, ફંડ, ઓપરેટ તથા ટ્રાંસફર (ડીબીઓફઓટી) આધાર પર કરવામાં આવ્યો છએ. આ યોજના બે તબક્કામાં કરવામાં આવી રહી છે. આ યોજનાનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવારા ઓક્ટોબર-2015માં કરવામાં આવ્યો હતો. તેનો પ્રથમ તબક્કો 4,719 કરોડ રૂપિયાના ખર્ચથી રેકોર્ડ સમયમાં પૂર્ણ થઇ ગયું છે.
વિશ્વસ્તરીય મૂળભૂત ઢાંચાનો વિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહિત કરવા માટે આ ટર્મિનલને સમર્પિત રેલ સાથે જોડવામાં આવશે, જે લગભગ 350 કંટેનર પ્રતિ રેક પ્રાપ્ત કરવામાં સમર્થ હશે.
કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાપ્ગ તથા જળ સંસાધન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે લોજીસ્ટિકની ભૂમિકા અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ હોય છે અને સરકાર વિશ્વસ્તરીય લોજીસ્ટીક તથા સુવિધાઓ ઉપલબ્ધ કરવવા માટે કટિબદ્ધ છે જેથી વેપારનું વિસ્તરણ કરી શકાય.
મહારાષ્ટ્રમાં સાગરમાલ કાર્યક્રમ અંતર્ગત 2.5 લાખ કરોડ રૂપિયાની 101 યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાંથી 5 યોજનાઓ પહેલા જ પૂર્ણ થઇ ગઇ છે અને 58 યોજનાઓ વિભિન્ન તબક્કામાં કાર્યરત છે.