વડાપ્રધાન મોદીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ નિમિત્તે લેખ લખ્યો

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

બિહારના બે વખત મંત્રી રહી ચુકેલા અને સમાજના ઉત્થાન માટે જીવનપર્યત કામ કરતા રહેલા લોકનેતા કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે. ૨૩ જાન્યુઆરીએ જ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે તેમની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદીએ તેમને યાદ કર્યા અને તેમના વિશે એક લેખ લખ્યો છે. કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કર્પૂરી ઠાકુરજીના મનમાં સામાજિક ન્યાય વસેલો હતો. તેઓ અંગત કામ માટે સરકારનો એક પૈસો પણ વાપરવા માગતા ન હતા. પીએમ મોદીએ તેમના લેખમાં કહ્યું, “આપણું જીવન ઘણા લોકોના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. આપણે જે લોકોને મળીએ છીએ અને જેની સાથે આપણે સંપર્કમાં રહીએ છીએ તેમના શબ્દોની અસર થાય તે સ્વાભાવિક છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમના વિશે સાંભળીને જ તમે પ્રભાવિત થઈ જાવ છો. જનનાયક કર્પૂરી ઠાકુર મારા માટે આવા જ રહ્યા છે. “આજે કર્પૂરી બાબુની ૧૦૦મી જન્મજયંતિ છે. મને કર્પૂરીજીને મળવાની ક્યારેય તક મળી નથી, પરંતુ મેં તેમની સાથે ખૂબ નજીકથી કામ કરતા કૈલાશપતિ મિશ્રાજી પાસેથી તેમના વિશે ઘણું સાંભળ્યું છે. કર્પુરી બાબુએ સામાજિક ન્યાય માટે કરેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તે વાળંદ સમુદાયનો હતો, એટલે કે સમાજનો સૌથી પછાત વર્ગ. અનેક પડકારોને પાર કરીને તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી અને જીવનભર સમાજના ઉત્થાન માટે કામ કરતા રહ્યા. કર્પૂરી ઠાકુરના જીવન સાથે સંબંધિત એક ઘટનાનું વર્ણન કરતાં પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘લોકનેતા કર્પૂરી ઠાકુરજીનું સમગ્ર જીવન સાદગી અને સામાજિક ન્યાય માટે સમર્પિત હતું. તેમના અંતિમ શ્વાસ સુધી તેઓ તેમની સાદી જીવનશૈલી અને નમ્ર સ્વભાવના કારણે સામાન્ય લોકો સાથે ઊંડે સુધી જાેડાયેલા રહ્યા. તેમની સાથે જાેડાયેલી આવી ઘણી વાર્તાઓ છે, જે તેમની સાદગીના ઉદાહરણ છે. તેમની સાથે કામ કરનારા લોકોને યાદ છે કે કેવી રીતે તેમણે આગ્રહ કર્યો હતો કે સરકારી નાણાંનો એક પણ પૈસો તેમના કોઈપણ અંગત કામમાં ન વાપરવો જાેઈએ. બિહારમાં તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. પછી રાજ્યના નેતાઓ માટે વસાહત બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો, પરંતુ તેઓએ પોતાના માટે કોઈ જમીન લીધી નહીં. જ્યારે પણ તેમને પૂછવામાં આવતું કે તમે જમીન કેમ નથી લેતા, ત્યારે તેઓ નમ્રતાથી હાથ જાેડી દેતા હતા. ૧૯૮૮માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ઘણા નેતાઓ તેમના ગામમાં શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. કર્પુરીજીના ઘરની હાલત જાેઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા કે આટલા મોટા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિનું આટલું સાદું ઘર કેવી રીતે હોઈ શકે. બીજી ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ લખ્યું, “કર્પૂરી બાબુની સાદગીની બીજી લોકપ્રિય ઘટના ૧૯૭૭ની છે, જ્યારે તેઓ બિહારના સીએમ બન્યા હતા. તે સમયે કેન્દ્ર અને બિહારમાં જનતાની સરકાર હતી. તે સમયે પટનામાં જનતા પાર્ટીના નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણ એટલે કે જેપીના જન્મદિવસ માટે ઘણા નેતાઓ એકઠા થયા હતા. તેમાં સામેલ મુખ્યમંત્રી કર્પુરી બાબુનો કુર્તો ફાટી ગયો હતો. આવી સ્થિતિમાં, ચંદ્રશેખરજીએ તેમની અનોખી શૈલીમાં લોકોને કેટલાક પૈસા દાન કરવાની અપીલ કરી, જેથી કર્પૂરીજી નવો કુર્તો ખરીદી શકે. પણ કર્પૂરીજી તો કર્પૂરીજી હતા. તેમણે આમાં પણ એક દાખલો બેસાડ્યો. તેમણે પૈસા સ્વીકાર્યા, પરંતુ તેને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી દીધા. ‘જનનાયક કર્પૂરી ઠાકુર જીના મનમાં સામાજિક ન્યાય વસેલો હતો. તેમની રાજકીય કારકિર્દી એવા સમાજના નિર્માણ માટેના તેમના પ્રયાસો માટે જાણીતી છે જ્યાં સંસાધનો તમામ લોકોને સમાનરૂપે વિતરિત કરવામાં આવે અને તેઓને સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના તકોની સમાન પહોંચ હોય. તેમના પ્રયાસોનો હેતુ ભારતીય સમાજમાં રહેલી ઘણી અસમાનતાઓને દૂર કરવાનો પણ હતો.’ તેઓ આગળ લખે છે, “કર્પૂરી ઠાકુર જીની તેમના આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતા એવી હતી કે જ્યારે કોંગ્રેસ સર્વત્ર શાસન કરતી હતી ત્યારે પણ તેમણે કોંગ્રેસ વિરોધી લાઇનને અનુસરવાનું નક્કી કર્યું. કારણ કે તેમને ઘણા સમય પહેલા ખ્યાલ આવી ગયો હતો કે કોંગ્રેસ તેના મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. કર્પૂરી ઠાકુરના યોગદાનનો ઉલ્લેખ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “કર્પૂરી ઠાકુર જીની ચૂંટણી યાત્રા ૧૯૫૦ના દાયકાના શરૂઆતના વર્ષોમાં શરૂ થઈ હતી અને અહીંથી તેઓ રાજ્ય ગૃહમાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેઓ મજૂર વર્ગ, મજૂરો, નાના ખેડૂતો અને યુવાનોના સંઘર્ષ માટે એક શક્તિશાળી અવાજ બન્યા. શિક્ષણ એક એવો વિષય હતો જે કર્પુરી જીના હૃદયની સૌથી નજીક હતો. તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ગરીબોને શિક્ષણ આપવામાં કોઈ કસર છોડી ન હતી.

Share This Article