ફાયર સેફટી ઉપકરણો હોવા છતાં પ્રિ-સ્કૂલો રાતોરાત સીલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલની જોગવાઈ પ્રમાણેના તમામ પ્રકારના ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાંતંત્ર દ્વારા લગભગ 300 ઊપરાંતની પ્રિ-સ્કૂલો સીલ કરાયેલ છે તેવી માહિતી અમદાવાદ પ્રિ-સ્કૂલ એશોશીએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી.
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનદ્વારા આ તમામ પ્રિ-સ્કૂલોને રાતોરાત કોઈપણ નોટીસ આપ્યા અથવા આગોત્રી જાણ કર્યા વિના બિલ્ડીંગ વપરાશના હેતુ ફેરનું કારણ આપીને સીલ કરેલ છે. તમામ સંચાલકોની સરકાર તેમજ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવે છે કે જે પ્રિ-સ્કૂલો પાસે હાલની ગાઈડલાઈન પ્રમાણેના ફાયર સેફટીના પુરતાં ઉપકરણો ઉપલબ્ધ કરેલ છે,તેવી તમામ પ્રિ-સ્કૂલોના સીલ તાત્કાલીક ધોરણે ખોલી આપો. તેમજ બિલ્ડીંગ ઉપયોગ અંગેના હેતુફેર માટે અરજી કરેલ હોવા છતાં જે પ્રિ-સ્કૂલોને સીલ કરવામાં આવેલ છે તેવી તમામ પ્રિ-સ્કૂલોનેફાયર સેફટીની ચકાસણી કરીને ખોલી આપવામાં આવે. આ ઉપરાંત આવી તમામ પ્રિ-સ્કૂલો કે જેમણે ઈમ્પેકટ (GRUDA)ના કાયદા હેઠળ ઉપયોગ ફેરફારની અરજી કરેલ છે તેવી તમામ પ્રિ-સ્કૂલોની અરજીઓને અગ્રિમતા સાથે મંજૂરી આપવામાં આવે.

Pre School
આ સાથે સંચાલકોની માંગણી છે કે જે પ્રિ-સ્કૂલો હાલમાં ચાલુ છે તેમજ ફાયર સેફટી ઉપકરણો લગાવેલ છે તેવી કોઈપણ પ્રિ-સ્કૂલોની સીલીંગની કાર્યવાહી ઉપર તાત્કાલીક ધોરણે રોક લગાવામાં આવે. આ બાબતે સરકારે ગંભીર પણે વિચાર કરવો જ રહેશે કારણ કે આ બાબત લગભગ 2,00,000 થી વધુ નાના બાળકો, વાલીઓ, શિક્ષકો, સંચાલકો તેમજ નાના કર્મચારીઓને સિદ્ધી રીતે અસર કરે છે.જો તાત્કાલીક ધોરણે આ બાબતે રાહત નહી આપવામાં આવે તો મોટાભાગની પ્રિ-સ્કૂલો,કે જે મહિલાઓ દ્વારા જ સંચાલીત કરવામાં આવે છે તેવી તમામ પ્રિ-સ્કૂલોનું અસ્તિત્વ જોખમમાં મુકાશે.જેનાથી બાળકોના ભણતર અને ભવિષ્ય અંગે ગંભીર પરિસ્થિતિઓ ઉભી થશે. બાળકોને પાયાનું ઘડતર તેમજ ભણતર આપતી આવી નાની પ્રિ-સ્કૂલોના અસ્તિત્વનો વિચાર કરી ગુજરાતની અન્ય મહાનગર પાલિકાઓની જેમ શુ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ બાળકોના ભવિષ્યનો વિચાર કરી આ મુદ્દે સહાનૂભુતિ સાથે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

Share This Article