પ્રધાનમંત્રી મોદી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ કન્વેન્શન સેન્ટર એક ઓડિટોરિયમ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે. તે ઇટાનગરનું મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે એવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી દેશને રાજ્ય નાગરીક સચિવાલય ભવન પણ અર્પણ કરશે અને ટોમો રિબા સ્વાસ્થ્ય અને મેડિકલ સંસ્થાનનાં શૈક્ષણિક બ્લોકનું ખાતમુહૂર્ત કરશે.  પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશથી ત્રિપુરાની બિનસત્તાવાર મુલાકાત લેશે.

 

TAGGED:
Share This Article