પીએમ મોદી દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

Rudra
By Rudra 3 Min Read

દાહોદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ ૧૧:૧૫ વાગ્યે તેઓ એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી પણ આપશે. ત્યારબાદ તેઓ દાહોદમાં આશરે ૨૪૦૦૦ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી ભુજ જશે અને સાંજે ૪ વાગ્યે, તેઓ ભુજ ખાતે ૫૩,૪૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

વધુમાં, પ્રધાનમંત્રી ગાંધીનગર જશે અને ૨૭ મેના રોજ સવારે ૧૧ વાગ્યે, તેઓ ગુજરાત શહેરી વિકાસ ગાથાના ૨૦ વર્ષની ઉજવણીમાં ભાગ લેશે અને શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫નો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

કનેક્ટિવિટી વધારવા અને વિશ્વ કક્ષાના પ્રવાસ માળખાના નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 hpના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે. તેઓ પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી બતાવશે. આ લોકોમોટિવ્સ ભારતીય રેલ્વેની માલવાહક લોડિંગ ક્ષમતા વધારવામાં મદદ કરશે. આ લોકોમોટિવ્સ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ્સથી સજ્જ હશે અને ઊર્જા વપરાશ ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે, જે પર્યાવરણીય ટકાઉપણુંમાં ફાળો આપે છે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી દાહોદમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં રેલ પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેઓ વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી ગેજ રૂપાંતરિત કટોસણ-કલોલ સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે અને તેના પર માલગાડી ટ્રેનને લીલી ઝંડી આપશે.

પ્રધાનમંત્રી ભુજ ખાતે ૫૩,૪૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પાવર સેક્ટરના પ્રોજેક્ટ્સમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ઉત્પન્ન થતી રિન્યુએબલ પાવરને ખાલી કરવા માટેના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ, ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ, તાપી ખાતે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે. તેમાં કંડલા બંદરના પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના અનેક રોડ, પાણી અને સૌર પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ એ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ હતી. જેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, બહેતર શાસન અને શહેરી રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પરિવર્તન લાવવાનો હતો. શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ના ૨૦ વર્ષ પૂર્ણ થતાં, પ્રધાનમંત્રી ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫, ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ કરશે. તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ પીએમએવાય હેઠળ ૨૨૦૦૦થી વધુ રહેણાંક એકમો પણ સમર્પિત કરશે. તેઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને રૂ ૩૩૦૦ કરોડનું ભંડોળ પણ જાહેર કરશે.

Share This Article