“શાંતિ હંમેશા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાનો પાયો રહ્યો છે..” : UN પ્રતિનિધિ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ન્યૂયોર્કમાં આયોજિત ‘‘Discourse on Peace’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે શાંતિ હંમેશા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાનો પાયો રહ્યો છે. કંબોજે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત હંમેશા અહિંસા સમરસતા અને સહઅસ્તિત્વના આદર્શોને અપનાવ્યા છે. તેમણે મહાત્મા ગાંધીના પ્રભાવ પર ભાર મૂક્યો અને તેમને અહિંસક પ્રતિકારના ચેમ્પિયન તરીકે વર્ણવ્યા. નિવેદન આપતી વખતે કંબોજે એમ પણ કહ્યું કે ભારતે તેના સમગ્ર ઇતિહાસમાં અહિંસા, સૌહાર્દ અને સહઅસ્તિત્વના આદર્શોને અપનાવ્યા છે. મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓના ઉપદેશો, અહિંસક પ્રતિકારના ચેમ્પિયન અને જેમની પ્રતિમા અહીં ન્યુયોર્કમાં ઉભી છે.

આ ઉપરાંત તેમણે વડાપ્રધાન સાથે શાંતિ પર વાત કરી હતી. નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રકાશ ફેંકતા કહ્યું કે તે મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓના ઉપદેશથી આવ્યું છે. પીએમ મોદીના નિવેદનની વાતને લઈ તેમણે કહ્યું કે યુદ્ધ આજના યુગની વિશેષતા ન હોવી જોઈએ. આ દ્રષ્ટિકોણ અને ઊંડી શ્રદ્ધા સાથે પગલાં લેવા જોઈએ.

આજના યુગને યુદ્ધ તરીકે ન જોવો જોઈએ. આ વિઝન અને ઊંડી આસ્થા સાથે પગલાં લેવાયાં હતાં. જુલાઈની શરૂઆતમાં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) શાંતિ નિર્માણ અને ટકાઉ શાંતિ પરની ચર્ચાને સંબોધિત કરતી વખતે, યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પણ કહ્યું હતું કે અબજો યુએસ ડોલરના મૂલ્યના વૈશ્વિક દક્ષિણ વિકાસ પ્રોજેક્ટ્‌સ સાથે ભારતના સંબંધો અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. કંબોજે જણાવ્યું હતું કે આ ઊંડાણપૂર્વક માનવ-કેન્દ્રિત અભિગમ સાથે, ભારત શાંતિ નિર્માણના તમામ પ્રયાસોમાં અડગ સાથી અને ઉત્પ્રેરક બનવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે ભારતે હંમેશા શાંતિ જાળવણી અને શાંતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એમ કહીને કે ભારત અહિંસામાં જડેલી શાંતિનું પ્રતિક છે. કંબોજે કહ્યું કે દેશને ૧૦ શાંતિ મિશનમાં તૈનાત ૬,૦૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓ પર ગર્વ છે. તેમણે એ હકીકત પર દુઃખ વ્યક્ત કર્યું કે ૧૭૭ બહાદુર ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાનમાં સૈનિકો અને પોલીસનું યોગદાન આપતા તમામ દેશોમાં સૌથી વધુ છે.

Share This Article