T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન મેચ સંકેટના વાદળો છે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાં ભારત સામે મેચ રમવાથી ઇનકાર કરી દીધો છે. જો કે હજુ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને લઈને આઈસીસીને પત્ર લખીને જાણકારી આપી નથી. એવામાં આશા છે કે 15 ફેબ્રુઆરીએ ઇન્ડિયા અને પાકિસ્તાન મેચ યોજાઈ શકે છે. ટુર્નામેન્ટની સૌથી મોટી મેચને લઈને આઈસીસી દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યું છે. રવિવાર, 8 ફેબ્રુઆરીએ ICCના પીસીબી પ્રમુખ મોહસિન નકવી સાથે મિટિંગ થઈ જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ સામેલ હતા. પાકિસ્તાને ભારત મેચ બોયકોટ ખતર કરવા માટે હવે આઈસીસી સામે ત્રણ મોટી શરત રાખી છે. તેમાંથી એક ડિમાન્ડ એવી છે કે જેને માટે ભારત ક્યારેય માનશે નહીં.
ટેલિકોમ એશિયા સ્પોર્ટની એક રિપોર્ટ મુજબ, PCB ચીફ મોહસિન નકવીએ બોયકોટની અપીલ સમાપ્ત કરવા માટે ICC સમક્ષ ત્રણ માંગણીઓ મૂકી છે. તેમણે વર્લ્ડ બોડી પાસે વધુ રેવન્યુ શેરની માંગ કરી છે અને ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની પણ વાત કરી છે. આ ઉપરાંત, તેમણે T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવે તેવી માંગ પણ કરી છે.
પ્રથમ માંગ – પાકિસ્તાનને વર્લ્ડ બોડી પાસેથી વધુ રેવન્યુ મળવું જોઈએ
બીજી માંગ – ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી શરૂ થવા જોઈએ
ત્રીજી માંગ – T20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવે
બીજી માંગ બાબતે ભારત ક્યારેય સંમત થશે તેમ લાગતું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ વર્ષ 2012માં રમાઈ હતી. રાજકીય તણાવને કારણે છેલ્લા 16 વર્ષથી બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. ગયા વર્ષે ભારતમાં થયેલા પહલગામ હુમલા બાદ ભારતનો પાકિસ્તાન સામેનો વલણ વધુ કડક બન્યો છે. ટીમ ઇન્ડિયાએ એશિયા કપ 2025થી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક કરવાનું પણ બંધ કરી દીધું છે. પાકિસ્તાનની બાકીની બે માંગ ભલે પૂરી થઈ જાય, પરંતુ દ્વિપક્ષીય સિરીઝ ફરી શરૂ થવી હાલ તો ઘણી મુશ્કેલ લાગી રહી છે.
