પટનાની સ્થાનિક અદાલતે ઉદયનિધિ સ્ટાલિનને સનાતન ધર્મ વિરુદ્ધ ચાર મહિના જૂની ટિપ્પણી પર સમન્સ જાહેર કર્યું
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ જે રીતે સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી તેના પર સંઘર્ષ વધતો જણાતો હતો. પટનાની એક સ્થાનિક અદાલતે સનાતન ધર્મ વિરુદ્ધ તેમની ચાર મહિના જૂની ટિપ્પણી પર સમન્સ જાહેર કર્યું છે. કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને રૂબરૂ અથવા વકીલ મારફતે હાજર થવાનો આદેશ આપ્યો છે. ઉધયનિધિ તમિલનાડુ સરકારમાં મંત્રી પણ છે. અરજીકર્તા વકીલ કૌશલેન્દ્ર નારાયણે કહ્યું કે ઉધયનિધિ સામે સમન્સ પટના એસએસપી ઓફિસને કોર્ટ વતી જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યું છે. ઉધયનિધિ સ્ટાલિને લગભગ ૪ મહિના પહેલા સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે સનાતન ધર્મની તુલના કોરોનાવાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ અને મચ્છરોથી થતા તાવ સાથે કરી હતી. સ્ટાલિને કહ્યું હતું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જાેઈએ, પરંતુ તેનો નાશ કરવો જાેઈએ. આ કેસમાં પટના હાઈકોર્ટના વકીલ કૌશલેન્દ્ર નારાયણે અરજી દાખલ કરી હતી. સ્પેશિયલ જજ (MP/MLA કેસ) સારિકા વાહલિયાએ પટના કોર્ટમાં આ અંગે સુનાવણી કરી હતી. તેમણે તમિલનાડુના મંત્રી ઉધયનિધિને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે. વિશેષ ન્યાયાધીશે તામિલનાડુના મંત્રીને ૧૩ ફેબ્રુઆરીએ સુનાવણી માટે રૂબરૂ અથવા વકીલ મારફતે કોર્ટમાં હાજર થવા પણ કહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. ચેન્નાઈમાં લેખકોના સંમેલનમાં બોલતા, તમિલનાડુના મંત્રીએ એવી પણ દલીલ કરી હતી કે સનાતન ધર્મ સ્વાભાવિક રીતે જ પ્રતિકૂળ છે, જે લોકોને જાતિ અને લિંગના આધારે વિભાજિત કરે છે. તે મૂળભૂત રીતે સમાનતા અને સામાજિક ન્યાયનો વિરોધ કરે છે. ઉધયનિધિની ટિપ્પણીની ભાજપના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મંત્રીની ટિપ્પણીથી દુઃખી થઈને, પટના હાઈકોર્ટના વકીલ કૌશલેન્દ્ર નારાયણે ૪ સપ્ટેમ્બરે પટનાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJMની કોર્ટમાં ઉધયનિધિ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩ (છ), ૨૯૫ (છ), કલમ ૨૯૮, ૫૦૦ અને ૫૦૪ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. જાે કે, કેસ તમિલનાડુના મંત્રીને લગતો હોવાથી, CJM કેસને વિશેષ ન્યાયાધીશ (MP/MLA કેસ) સારિકા વાહલિયાની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. હવે વિશેષ ન્યાયાધીશે આ વર્ષે ૬ જાન્યુઆરીએ કેસની સંજ્ઞાન લીધી હતી. એડવોકેટ કૌશલેન્દ્ર નારાયણે જણાવ્યું હતું કે ઉધયનિધિ વિરૂદ્ધ સમન્સ પટના એસએસપીના કાર્યાલયને કોર્ટ વતી જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી ૧૩ ફેબ્રુઆરીએ થશે.
Sembcorp took part in the 4th Global Re-Invest 2024 Summit.
The summit served as a platform for industry leaders, policymakers, and innovators to discuss the future of renewable energy in...
Read more