પાકિસ્તાન હચમચ્યુ છે

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાન દ્વારા એકપછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ભારત સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન દ્વારા કેટલીક એકતરફી જાહેરાતો કરવામાં આવી છે. જે સંકેત આપે છે કે પાકિસ્તાન ભારે પરેશાન છે. પાકિસ્તાને એકબાજુ વેપાર સંબંધોને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી બાજુ રાજકીય સંબંધોના સ્તરને ઘટાડી દેવામાં આવ્યા છે. પોતાના હવાઇ ક્ષેત્રના કુલ નવ પૈકી ત્રણ કોરિડોરને પણ પાકિસ્તાન દ્વારા ભારત માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના મામલાને તે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવા માટે ઇચ્છુક છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન તો અહીં સુધી કહી ચુક્યા છે કે આ નિર્ણયના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઇ શકે છે. ભારત પોતાના એક રાજ્ય વહીવટીતંત્રને લઇને જે નિર્ણય કરે છે તે તેનો આંતરિક મામલો છે. આના પર પાકિસ્તાન તરફથી આટલી તીખી પ્રતિક્રિયા આવે તે વાત ગલે ઉતરી રહી નથી. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં તે એક પ્રકારનુ કઇ રીતે ખરાબ શાસન ચલાવી રહ્યુ છે તેનાથી તમામ લોકો વાકેફ છે. આના પર ભારત દ્વારા ક્યારેય કોઇ પ્રતિક્રિયા આપી નથી. ત્યાં ત્રાસવાદી ગતિવિધીઓની નિંદા ચોક્કસપણે કરવામાં આવે છે. જે પાકિસ્તાન માટે પોતે માથાના એક દુખાવા સમાન છે. હાલમાં પાકિસ્તાન દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે તે તેના માટે પણ ઘાતક છે. ભારત સાથે દ્ધિપક્ષીય વેપાર સંબંધોને સસ્પેન્ડ કરવાથી પણ વધારે નુકસાન તેને જ થનાર છે. કારણ એ છેકે પાકિસ્તાન કેટલીક જરૂરી ચીજોનો ઉપયોગ ભારતની ચીજો મારફતે કરે છે.

ભારતથી પાકિસ્તાન અનેક ચીજો આયાત કરે છે. પુલવામા ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ વેપાર સંબંધોમાં તિરાડ આવી હતી. ભારતમાંથી પાકિસ્તાનમાં થનાર નિકાસમાં પહેલાથી જ ઘટાડો થઇ ચુક્યો છે. આ મામલામાં ભારત તેના પર વધારે આધારિત નથી. આવી જ રીતે હવાઇ ક્ષેત્રના કેટલાક કોરિડોર બંધ કરી દેવામાં આવ્યા બાદ પણ પાકિસ્તાનને વધારે અને ભારતને ઓછુ નુકસાન થનાર છે. ભારતીય વિમાનોને આ કોરિડોરનો ઉપયોગ ન કરવાથી ૧૨ મિનિટની અસર થશે. આના કારણે ભારતને શુ નુકસાન થઇ શકે છે  ?

અત્રે નોંધનીય છે કે એર ઇન્ડિયા પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાંથી દરરોજ આશરે ૫૦ ઉંડાણનુ સંચાલન કરે છે. એરસ્પેસ બંધ કરવાના કારણે વધારે નુકસાન પાકિસ્તાનને થઇ શકે છે. થોડાક સમય પહેલા પોતાના એરસ્પેસને બંધ રાખવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાંથી પસાર થતી ૪૦૦ ફ્લાઇટને અસર થઇ હતી. એક અંદાજ મુજબ પાકિસ્તાનને આના કારણે આશરે ૬૮૮ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ હતુ. કારણ કે પોતાના રૂટનો ઉપયોગ કરનાર બીજા દેશોના વિમાનો પાસેથી કેટલાક ચાર્જની વસુલી કરવામાં આવે છે. રૂટ બંધ રાખવાના કારણે આ પૈસા પણ તેના ખજાનામાં આવી શક્યા નથી. પાકિસ્તાનને આ બાબતનુ ધ્યાન નથી કે કાશ્મીરના મુદ્દા પર વિશ્વ સમુદાય તેની સાથે દેખાઇ રહ્યુ નથી.

Share This Article