Pachouli Aesthetics and Wellness દ્વારા ગુજરાત રાજ્યમાં એમના પ્રથમ અદ્યતન ક્લિનિક અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  આજે પચૌલી એસ્થેટિક્સ એન્ડ વેલનેસ દ્વારા અમદાવાદમાં એમના પ્રથમ અદ્યતન ક્લિનિકના ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આદરણીય મહેમાનો અને ઉદ્યોગના અગ્રણીઓની હાજરીમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો. પચૌલી એસ્થેટિક્સ એન્ડ વેલનેસના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. પ્રીતિ સેઠ અને પચૌલીના અમદાવાદના ઓપરેશન્સ માટેના બિઝનેસ એસોસિયેટ મનીષા શર્મા દ્વારા પ્રતિકાત્મક દીપ પ્રાગટ્ય અને કેક કાપવા સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. નવું લોંચ થયેલું આ ક્લિનિક એ પાચૌલીની નવીનતા અને સર્વગ્રાહી સુખાકારીમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તે AI-આધારિત ફ્રીઝ શોક ટ્રીટમેન્ટ સાથે અદ્યતન બોડી કોન્ટૂરિંગ, એન્ટિ-એજિંગ અને ડાઘ ઘટાડવાની તકનીકો અને વાળ અને ત્વચા માટે બિન-આક્રમક અને ન્યૂનતમ આક્રમક સારવારની વિશાળ શ્રેણી જેવી નવીન તકનીકોનો પરિચય આપે છે. સાથે સાથે પ્રાચીન આયુર્વેદિક શાણપણના સમાવેશ પણ આ ક્લિનિકના પૂરક છે, જે એક વ્યાપક સુખાકારી અનુભવ પ્રદાન કરે છે.

Pachouli 1

ક્લિનિકના ઉદ્ઘાટન દરમિયાન, ડૉ. પ્રીતિ સેઠે, પચૌલી પરના તેમના વિશ્વાસ બદલ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો જેના ફળસ્વરૂપે આ અસાધારણ વેલનેસ હબને ગુજરાત રાજ્યમાં પ્રથમવાર લાવવામાં આવ્યો છે, એ પણ એક એવા રાજ્યમાં જે તેના સમુદાયની સુખાકારીના પ્રચાર માટે જાણીતા ઐતિહાસિક મહત્વનો વિસ્તાર છે.  પચૌલી એસ્થેટિક્સ (સૌંદર્ય શાસ્ત્ર) અને વેલનેસ બ્રાન્ડના વિકાસ  વિશે શેર કરતી વખતે, ડૉ. પ્રીતિ શેઠે જણાવ્યું હતું કે, “આજની તારીખે 15 વર્ષથી વધુના અનુભવ ધરાવતા પચૌલી બ્રાન્ડ, દેશમાં 9 શહેરોમાં પોતાના હાજરી સાથે 25 થી વધુ ક્લિનિક્સ  ધરાવે છે.” લોન્ચ દિવસની સૌથી ચર્ચિત પ્રક્રિયા ઓક્સી રિચ હતી, જે ઓક્સિજનને પ્રેરિત કરીને અને કાયાકલ્પમાં સુધારો કરીને ત્વચાને પુનર્જીવિત કરે છે.

અમદાવાદના વેલનેસ લેન્ડસ્કેપમાં આ નવીનતમ ઉમેરોની પ્રશંસા કરતા, આ ઇવેન્ટમાં જીવનશૈલી પ્રભાવકો અને શહેરના અગ્રણી વ્યક્તિઓનું નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. સ્વેતા દેસાઈ, ચિરાગ શાહ અને દમક શર્મા જેવા સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ એટલે કે પ્રભાવકોએ ક્લિનિકના સર્વગ્રાહી સુખાકારીના ખ્યાલની પ્રશંસા કરી, જે પ્રાચીન વિજ્ઞાન સાથે આધુનિક સમયની તકનીકોનું મિશ્રણ કરે છે. દમક શર્માએ જણાવ્યું કે , “આપણા શહેર માટે આ ગૌરવની ક્ષણ છે કારણ કે હેલ્થકેર એક્સેલન્સ સર્વે 2024માં નંબર 1નું ક્લિનિક, હવે અમદાવાદમાં છે, જે હવે અમદાવાદીઓને અત્યાધુનિક સેવાઓ પ્રદાન કરશે”

Share This Article