કસ્ટડી વિરુદ્ધ ચિદમ્બરમની અરજી ફગાવી દેવાતા ફટકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રિય નાણાંપ્રધાન પી. ચિદમ્બરમને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમ દ્વારા કરવામાં આવેલી સીબીઆઇ કસ્ટડીની સામેની અરજીને ફગાવી દીધી હતી. ચિદમ્બરમના વકીલ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન કપિલ સિબ્બલે ટોપ કોર્ટમાં તર્કદાર દલીલો કરી હતી. જો કે કોર્ટે આ મામલે દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કર્યો હતો. ચિદમ્બરમની અરજી પર સુનાવણી કરતા તેમણે કહ્યુ હતુ કે જસ્ટીસ ભાનુમતિએ કહ્યુ છે કે ધરપકડ બાદ અગ્રીમ જામીન અરજીનો કોઇ અર્થ રહેતો નથી. સિબ્બલે કહ્યુ હતુ કે સુનાવણી હજુ કરવામાં આવી શકે છે.

જીવનના અધિકાર ઉપયોગી છે. આના મામલે ભાનુમતિએ કહ્યુ હતુ કે આગોતરા જામીન અરજીને રેગ્યુલર બેલમાં બદલી શકાય નહીં. રિમાન્ડની સામે અરજી લિસ્ટ નથી. યોગ્ય કોર્ટમાં અપીલ કરવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો.

તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ગુરુવારના દિવસે જ ટ્રાયલ કોર્ટ દ્વારા ચિદમ્બરમને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

સોલીસીટર જનરલ દ્વારા દાવો કરાયો છે કે, પુરાવા દર્શાવે છે કે, માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ સંપત્તિ ખરીદવામાં આવી છે. ઉપરાંત સેલ કંપનીઓ મારફતે જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ચિદમ્બરમ જેવા હાઈ મેન્ટલ ફેકલ્ટી વ્યક્તિ પાસેથી વાસ્તવિક માહિતી કઢાવવા માટે કસ્ટોડિયલ પુછપરછ જરૂરી છે તેવી દલીલો થઇ ચુકી છે.

Share This Article